કોરોના ઇમ્પેક્ટ - સેકન્ડ વેવ
પાટે ચડેલી અર્થતંત્રની ગાડી ફરી ગબડી
પહેલી લહેર કરતાં લોકડાઉન, અસર પામનારો વર્ગ અલગ; કેટલુ`
નુક્સાન થશે તેમાં મતમતાંતર : મધ્યમ વર્ગ નબળો પડયો,
બેરોજગારી, મેડિકલ ખર્ચા સહિતના પરિબળો વચ્ચે માંગ ઘટી :
મોટા ઉદ્યોગો ચાલુ રહ્યા; બજારો રહી બ`ધ તો એનુ` પેકેજ કેમ નહીં ?
ગત વર્ષે કોરોના મહામારી આવી, માર્ચના અ`તથી બે મહિનાનુ` લોકડાઉન આવ્યુ`. દેશભરમાં સજ્જડ લોકડાઉન, દેખીતી રીતે અર્થતંત્રને ઘણુ` નુકસાન થયુ`, પણ એ લોકડાઉન અનિવાર્ય હતુ`. સરકારે એક પછી એક રાહત પેકેજ જાહેર કર્યા` હતાં. લોન યોજનાઓ જાહેર કરી, રાજ્ય સ્તરે નાના` ઉદ્યોગકાર-વેપારીઓ માટે પણ આત્મનિર્ભર યોજના જાહેર થઈ. જીડીપી નકારાત્મક -23.9 ટકા સુધી ઉતરી ગયો, અનિશ્ચિતતા છવાઈ ગઈ, પર`તુ ઓગસ્ટથી ધીરેધીરે ખૂલતાં જતાં લોકડાઉન વચ્ચે તહેવારોની મોસમ આવી ને આર્થિક ગતિવિધિએ વેગ પકડી લીધો. ચાલુ વર્ષના આર`ભે જાન્યુઆરીમાં તો `ડબલ ડિઝિટ ગ્રોથ' (10 ટકાથી વધુનો ઘરેલુ વિકાસ દર)ની અપેક્ષાઓ આવવા માંડી, ત્યા` અચાનક મહામારીની બીજી લહેર આવી. આવી તે એવી કે એક દિવસમાં દુનિયામાં સૌથી વધુ નવા કેસ અને સૌથી વધુ મૃતકા`ક પણ દેખાડી દીધા. ભલે, પૂર્ણ દેશવ્યાપી લોકડાઉન જાહેર ન થયુ`, પર`તુ આર્થિક ગતિના` ચાલકબળ એવા` મુખ્ય શહેરો સહિત લગભગ 98 ટકા વિસ્તાર આગળ પાછળ, પણ આ`િશક કે ક્ફર્યૂ લોકડાઉનમાં રહ્યા. જેની અસરો હવે આર્થિક માપદ`ડોના` આ`કડામાં દેખાવા લાગી છે અને અત્યારે ચર્ચા છે કે બીજી લહેરની અર્થતંત્ર પર અસર પડશે કે નહીં, અને કેટલી પડશે?
વીતેલા સપ્તાહમાં આરબીઆઈએ તેના માસિક અહેવાલોમાં આર્થિક સૂચકા`કો જારી કર્યા?તેમાં બજારમાં માંગ ઘટી હોવાનુ` સ્વીકાર્યું અને આ`કડા પણ નબળા આવ્યા છે, પર`તુ એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે, ગત વર્ષ?જેવી ગ`ભીર અસર નહીં હોય. રાહત પેકેજનો પણ કોઈ સ`કેત ન મળ્યો. બીજીબાજુ, વિવિધ દેશોમાં ભાવિ આર્થિક સ્થિતિનુ` આકલન કરતી વૈશ્વિક રેટિ`ગ એજન્સીઓએ તેના` સ`શોધન પછી ભારત માટે આપેલુ` હવે પછીના ગાળામાં જીડીપીનુ` અનુમાન ઘટાડી નાખ્યુ`. એક તબક્કે રેટિ`ગ એજન્સીઓને વિશ્વાસ હતો કે ભારત 10 ટકાથી વધુ વિકાસ કરશે.
કોરોનાની બન્ને લહેર વચ્ચેનો મૂળ તફાવત એ છે કે, ત્યારે કેસો-મૃત્યુ ઓછા` હતાં, લોકડાઉન પૂર્ણ હતુ`, સામે અત્યારે સ્વાસ્થ્ય કટોકટી વધુ ગ`ભીર હતી. મૃત્યુ-કેસ વધુ હતા ને લોકડાઉન આ`િશક હતુ`. ઉદ્યોગોને તો બ`ધ જ ન કરાયા, એટલે શ્રમજીવીઓની વતન વાપસીના` ગત વર્ષ જેવા` દૃશ્યો ન દેખાયા`, ઓફિસો ખુલ્લી રહી, કયા`ક મોલ અને સિનેમાની છૂટ હતી, પણ લઘુ-સૂક્ષ્મ ઉદ્યોગો અને વેપારીઓને તો ઝટકો લાગ્યો જ છે. કારણ કે આ`િશક લોકડાઉનમાં ગુજરાત નહી`, દેશમાં બધે બજારો બ`ધ રહી. આમાં લારીવાળા અને દુકાનદારોને ભલે અનિવાર્ય હતુ`, પણ આર્થિક રીતે સહન કરવાનુ` આવ્યુ`. સામે આ વર્ગ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત નથી. જેવી રીતે ગત વર્ષ કેન્દ્રીય નાણામ`ત્રીએ ઉપરા ઉપરી જાહેરાતો કરી હતી, ખરેખર આ વસ્તુ ખૂટે છે. દેશના અર્થતંત્ર માટે 2021ની શરૂઆતમાં જે આશા બ`ધાઈ હતી, એ ધોવાઈ ગઈ છે. જેને વિવિધ રિસર્ચ રિપોર્ટના આધારે જોઈએ તો, સીએમઆઈઈના મતે ગ્રાહક ભાવા`ક 3.8 ટકા ઘટયો છે. મતલબ કે, બજારમાં માંગ ઘટી ગઈ છે. એપ્રિલમાં વાહનોનુ` વેચાણ 30 ટકા ઘટયુ` છે. બીજીબાજુ, મનરેગા અ`તર્ગત રોજગારની માંગ 2.45 કરોડ થઈ ગઈ. સ્ટીલ, ઈ`ધણ અને સિમેન્ટની માંગ ઘટી ગઈ. હોટેલ, રેસ્ટોરન્ટ, પ્રવાસ ક્ષેત્રને નકારાત્મક અસર થઈ. બીજી લહેર આવતાં નાણા` ધીરધાર કરતી નોન બેન્કિ`ગ ક`પનીઓ (એનબીએફસી) ઈએમઆઈને અસર થતાં આર્થિક દબાણમાં આવી ગઈ. માલ પરિવહન ઘટયુ`, બેરોજગારી વધી.
બીજી લહેરમાં ગ`ભીર અસર પડવાનો બીજો તર્ક એ પણ ચર્ચામાં છે કે, સરકારી મૃતકા`ક ગમે તે કહે, પર`તુ હજારો એવા લોકોના` મૃત્યુ થયા` છે, જે ઘરમાં આજીવિકાનો આધાર હતા. બીજ`y, મેડિકલ ખર્ચમાં હજારો કુ`ટ`yબ, નાનો-મધ્યમ વર્ગ પાયમાલ થઈ ગયો છે અને ત્રીજુ`, આ સ્થિતિ જોઈને લોકો ગભરાટમાં આવી ગયા અને ખોટા ખર્ચ બ`ધ કરી રોકાણને બદલે બચત તરફ વળ્યા છે. ક્વાન્ટ ઈકો રિસર્ચ?કહે છે કે આ બધા` પરિબળોની અસર માંગ પર પડી છે અને લા`બો સમય રહે તેવી શક્યતા છે. આમ, મહામારીની બીજી લહેરે `વી' આકારના સુધારાની આશા રખાતી હતી એ `યુ' આકારમાં લાવી દીધી. ફરી વિકાસની પાટે ચડેલી ગાડીને ગબડાવી દીધી છે. હવે વેક્સિનેશન ઝડપભેર થાય, લોકોની આર્થિક સ્થિતિ સારી થાય અને માંગ વધે તેમજ હવે ત્રીજી લહેર ન આવે તો આશા રાખીએ કે ડિસેમ્બર-21 સુધીમાં ઉચ્ચ વિકાસ દર મળે.
ફરી લાખોની નોકરી ગઇ !
2020માં તો કોરોનાની પ્રથમ લહેરમાં પૂર્ણ લોકડાઉન હતુ` અને મોટા ઉદ્યોગથી નાના દુકાનદારો તમામ બ`ધ હતા એટલે બેરોજગારીનો ગ`ભીર પ્રશ્ન ઊભો થયો, પર`તુ આ વખતે માંડ સ્થિતિ થાળે પડતી હતી ત્યા` સ્થાનિક લોકડાઉન આવ્યુ` અને એની અસર નાના કામદારો, છૂટક શ્રમજીવીઓ અને લઘુ-સૂક્ષ્મ કક્ષાના ઉદ્યોગોના કર્મચારીઓ પર વધુ પડી.
આ`કડા મુજબ એપ્રિલમાં જ બેરોજગારી દર વધ્યા અને મે મહિનાના આ`ક આવશે ત્યારે વધુ તીવ્ર સ્થિતિ દર્શાવશે તેવી શક્યતા છે. સેન્ટર ફોર મોનિટરિ`ગ ઇન્ડિયન ઇકોનોમિ (સીએમઆઇઇ)ના આ`ક મુજબ આ વખતે શહેરી અને ગ્રામીણ બ`ને ક્ષેત્રમાં રોજગારી પર અસર પડી છે. માર્ચમાં 6.5 ટકાના સ્થાને બેરોજગારી દર એપ્રિલમાં 8 ટકા થયો છે. આ દર ચાર મહિનાની ઊંચામાં ઊંચી સપાટી છે. 70 લાખ લોકો તેમની નોકરીમાં અસરગ્રસ્ત બન્યા છે.
આરબીઆઇને વિશ્વાસ; પહેલા` જેવુ` નુકસાન નહીં !
કોરોનાની બીજી લહેરની અર્થતંત્રની અસરો પરની ચર્ચા વચ્ચે ગત અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના` માસિક બુલેટિનમાં કબૂલ્યુ` કે આર્થિક ગતિવિધિને અસર થઇ છે, પર`તુ એવો વિશ્વાસ દર્શાવ્યો કે પહેલી લહેર જેટલી નકારાત્મક અસર નહીં થાય. આશા રાખીએ કે આ અ`દાજ સાચો પડે.
આરબીઆઇના આ`કડામાં માંગ પર સૌથી અસર દેખાઇ. આર્થિક ગતિવિધિ, ખર્ચા અને રોજગારના આ`કમાં પણ ઘટાડો દેખાડયો હતો. જો કે સરકારના પ્રયાસોથી અસર ઘટી જશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
આ`કડા મુજબ બેન્કિ`ગ-ફાઇનાન્સ ક્ષેત્રમાં ઘણી અસર છે. પહેલી લહેર પછી બીજી લહેરમાં પણ રોકડ પ્રવાહિતા જાળવવાના ઉપાય થયા. લોન લઇને ખાસ કરીને મધ્યમ-નાના` ઉદ્યોગો ઊંચા આવી જશે તેમ મનાતુ` હતુ`, ત્યા` ફરી બીજી લહેર આવી, લોકોની સ્થિતિ પર અસર થતાં માંગ ઘટી અને છેવટે અત્યારે તો બેંકો પર દબાણ વધ્યુ` છે. ક્રેડિટ ગ્રોથ ઘટયો છે એ ઘાતક નીવડી શકે.
ઇ-વે બિલ ઘટયા`; પણ જીએસટી આવક વધી
કોરોનાની બીજી લહેરમાં 2021ના` નાણાકીય વર્ષનો અ`ત અને 2021-22ના આર`ભે હકારાત્મક અને નકારાત્મક બ`ને પાસા` જોવા મળ્યા` છે. વસ્તુ અને સેવા કર (જીએસટી) અ`તર્ગત ઇ-વે બિલ એક નવી પદ્ધતિ છે, જે 50,000 રૂા.થી ઉપરના માલના પરિવહન માટે અનિવાર્ય છે. માલ વિનિમયના આ સૂચકા`ક મુજબ માર્ચ કરતાં એપ્રિલમાં ઇ-વે બિલમાં 17.5 ટકાનો ઘટાડો થયો છે. માર્ચમાં 7 કરોડ ઇ-વે બિલની સામે એપ્રિલમાં 5.8 કરોડ હતા
જો કે, મહામારી વચ્ચેથી એક ઉજળુ` પાસુ` એ હતુ` કે, જીએસટીથી એપ્રિલમાં સરકારને વિક્રમી 1.42 લાખ કરોડની આવક થઇ છે. માર્ચની આર્થિક ગતિવિધિનો આ સૂચકા`ક સારો આવ્યો. કારણ કે જરૂરત પ્રમાણે જે-તે રાજ્યોમાં લોકડાઉન લાગુ થયુ`, વર્ક ફ્રોમ હોમ કામ ચાલુ રહ્યુ`, માલસામાનની ઓનલાઇન ખરીદી અને ઘરે ડિલિવરી પ્રથા વધી ગઇ અને ડિજિટલ પેમેન્ટ પદ્ધતિમાં વધારો થઇ રહ્યો છે.