2024માં કચ્છના કાંઠેથી ઓએનજીસીનું તેલ ઉત્પાદન
દિવ્યેશ વૈદ્ય દ્વારા
ભુજ, તા. 18 : કચ્છમાં ઓફશોર તેલ-ગેસ સંશોધન પૂર્ણ થઇ?ચૂક્યું છે અને હવે કચ્છ એ આગામી 2024ના સમયમાં તેલનું વાણિજ્યિક ઉત્પાદનનું સાક્ષી બનશે, જે ભારતની આત્મનિર્ભરતાની દિશામાં આ મોટું કદમ હશે એમ કચ્છ આવેલા ઓ.એન.જી.સી.ના વેસ્ટર્ન ઓફશોર બેઝિનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વાસુદેવન કાનને જણાવ્યું હતું. યુનિ.માં યોજાયેલા વર્કશોપ દરમ્યાન કચ્છમિત્ર સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, ઓફશોરમાં કચ્છમાં 2200 મિલિયન મેટ્રિકટન (એમએમટી)નો જથ્થો હોવાની શક્યતા છે, જેમાંથી 127 એમએમટીની શોધ?થઇ?ચૂકી છે અને નાણાકીય મંજૂરી સહિતની પ્રક્રિયા જારી છે. હવે બે ફીલ્ડ બ્લોકમાં 38 એમએમટી હિસ્સાનું વાણિજ્યિક ઉત્પાદન 2024માં શરૂ?થઇ?જવાની આશા છે. કચ્છમાંથી ઉત્પાદિત થનારા તેલના જથ્થાથી એલએનજી જેવી કંપનીઓને ફાયદો થશે, જે અત્યારે વિદેશથી આયાત કરી રહી છે અને કિંમત વધુ છે. માત્ર અર્થતંત્રને જ નહીં યુવાનોને નોકરીની તક મળતાં પણ લાભ મળશે. કયા સ્થાને ઉત્પાદિત તેલના જથ્થાની પ્રોસેસ રીફાઇનરીઓ સ્થાપવાની સંભાવના છે એવા સવાલ પર તેમણે કહ્યું કે, ઓખા બાજુ તેની સ્થાપના વિચારણા હેઠળ છે. આ વર્કશોપમાં ઓએનજીસીના ડાયરેક્ટર આર. કે. શ્રીવાસ્તવ પણ આવવાના હતા. જો કે, તેમણે કચ્છ યુનિ. અને પીડીપીયુના પદાધિકારીઓ સાથે વાત કરીને ભૂમિ સંશોધનમાં કેમ આગળ વધાશે તેની ચર્ચા કરી હતી.
No comments:
Post a Comment