Monday, 11 October 2021

JRD Tata's child is back in the family., but now the challenge is to improve condition...

 જેઆરડી ટાટાનું સંતાન પરિવારમાં પાછું આવ્યું, 
પરંતુ હવે સ્થિતિ સુધારવાનો પડકાર...

ભારતની પ્રથમ એરલાઇન બનાવ્યા બાદ જેઆરડી ટાટાએ એર ઇન્ડિયાને એક વાર વિશ્વની નંબર વન એરલાઇનનો દરજ્જો અપાવ્યો હતો. મીઠાથી લઈને સોફ્ટવેર સુધીનો વ્યવસાય કરનાર  તાતા ગ્રુપે દેવાગ્રસ્ત સરકારી એરલાઇન એર ઇન્ડિયામાં રૂ .૧૮૦૦૦ કરોડમાં ૧૦૦ ટકા હિસ્સો ખરીદ્યો છે. પ્રક્રિયા ડિસે.- ૨૧ સુધીમાં પૂર્ણ થશે. તાતા એર ઇન્ડિયાનું ૧૫,૩૦૦ કરોડ રૂપિયાનું દેવું સંભાળશે અને બાકીની રકમ રોકડમાં ચૂકવશે. જોકે, બિડ સ્વીકાર બાદ ગૃપના મોવડી રતન ટાટાએ એર ઈન્ડિયાની વાપસીને આવકારતા ટ્વિટ કરીને સ્વીકાર્યું કે, એર ઇન્ડિયાના પુનઃ થાળે પાડવા ઘણો પ્રયત્ન કરવો પડશે.

ટાટા સન્સની વર્તમાન એરલાઇનમાં 'એરએશિયા ઇન્ડિયા' અને 'વિસ્તારા'નો સમાવેશ થાય છે. એમાં હજુ એક ખોટમાં છે. તાતાનો વિસ્તારામાં ૫૧ ટકા હિસ્સો છે (સિંગાપોર એરલાઇન્સ તેમાં 49% હિસ્સો છે) અને એર એશિયા લિમિટેડમાં ૮૪ ટકા હિસ્સો છે. તાતાએ એર ઇન્ડિયા પર પણ મોટુ રોકાણ કરવું પડશે ને વધુમાં દેવું પણ ચૂકવવાનું છે. ૩૧ ઓગસ્ટ - ૨૦૨૧ સુધીમાં એર ઇન્ડિયા પર ૬૧, ૫૬૨ કરોડ રૂપિયાનું દેવું હતું.

એર ઇન્ડિયાને સંભાળ્યા બાદ તાતા સામે એરલાઇન્સના સંકલન અને પછી એકીકરણનો પડકાર છે. આ ચારમાં એર એશિયા ઇન્ડિયા, વિસ્તારા, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ નો સમાવેશ થાય છે. કુલ મળીને ૧૫૦ સ્થાનિક રૂટ પર ફ્લાઇટનું સંચાલન કરે છે. આ સિવાય તેના કર્મચારીઓ, સિનિયોરિટીઝ,  નીતિઓ, આઇટી, એન્જિનિયરિંગ અને એકીકરણને લગતા પડકારોનો સમાવેશ થાય છે.

તાતા ગ્રુપની બે અસ્તિત્વ ધરાવતી એરલાઇન્સ એકબીજા વચ્ચે ટ્રાફિક નુકશાનનું કારણ નથી. પણ, આ સિવાય એકબીજાના ટ્રાફિકને નુકસાન ન કરે એ પ્રમાણે નીતી ઘડવાનો પડકાર છે. જોકે, તાતા માટે ભંડોળની સમસ્યા નહી રહે,  કારણ કે તે હાલમાં સ્ટીલ, ટીસીએસમાં સારું પ્રદર્શન કરે છે. તાતાના કુલ રોકાણની બજાર કિંમત ૧૨ લાખ કરોડ રૂપિયાથી વધુ છે. જ્યારે કંપની પર નવું ૨૫,૩૯૬ કરોડનું દેવું છે,

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, ઉડ્ડયન ક્ષેત્ર એ બહુ મોટી મૂડી જરૂરિયાત વાળું છે અને નાણાં ગુમાવવા પડી શકે છે. ઉડ્ડયન ક્ષેત્ર ટાટા જૂથને થોડું નીચે પણ લાવી શકે છે. પરંતુ, વૈશ્વિક મુસાફરોનો ટ્રાફિક પૂર્વ-કોવિડ સ્તરે પાછો આવે તેવી અપેક્ષા છે, જે ફાયદો આપશે. બીજું, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર વાર્ષિક ૨૦ ટકાના દરે વધી રહ્યું છે અને તાતાનો સંચાલન અનુભવ તેની હકારાત્મક બાજુ છે, એ ૨૦૨૫ સુધી સફળતા અપાવશે.


શરતો ; લોગો, કર્મચારી અને વેચાણ માત્ર ભારતીયને જ

શરતોને આધીન બિડ સ્વીકારવામાં આવી છે. ટાટાએ એક વર્ષ સુધી એર ઇન્ડિયાના તમામ કર્મચારીઓને જાળવી રાખવા પડશે. બીજા વર્ષથી કંપની કર્મચારીઓને વીઆરએસ આપી શકે છે. એર ઇન્ડિયામાં ૧૨૦૮૫ કર્મચારીઓ છે. જેમાં ૮૦૮૪ કાયમી અને ૪૦૦૧ કરાર પર છે. આ સિવાય એર ઈન્ડિયા એક્સપ્રેસમાં ૧૪૩૪ છે.

ટાટા સન્સને આઠ બ્રાન્ડ લોગો મળશે. પાંચ વર્ષ સુધી એર ઇન્ડિયાના બ્રાન્ડ અને લોગો જાળવી રાખવો પડશે. બીજું, સરકારે શરત મૂકી છે કે, પાંચ વર્ષ પછી વેચી શકશે અને તે પણ, માત્ર ભારતીય નાગરિકને. આમ, ભારતની પ્રતિષ્ઠાનું પ્રતીક જેવી કંપની કાયમ ભારત પાસે જ રહે. જોકે, ટાટા એવું પગલું ન લઈ શકે. તેનો આ બ્રાન્ડ સાથે લાગણી નો સંબધ હતો એટલે જ વધુ બોલી લગાવીને જીતી લીધી છે.

નાણાકીય દ્રષ્ટિએ જોવાય તો ટાટા ૧૫૩૦૦ કરોડ રૂપિયા પોતાની પાસે રાખી ને દેવું ચૂકવશે, જ્યારે બાકીની રકમ કેન્દ્રને રોકડમાં ચૂકવવામાં આવશે. અત્યારે એર ઈંડિયાને રોજની ૨૫ કરોડ રૂપિયાની નુકસાની થતી હતી, જેની  પણ કાળજી લેવી પડશે.


માત્ર બે લાખ અને બે વિમાનથી શરૂ કરીને જેઆરડીએ

વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન સુધી પહોચાડી હતી

વિશ્વમાં ભારતીય તિરંગો લહેરાતો જોવો એ જેઆરડીનું સ્વપ્ન હતું. તેમના દ્વારા કરવામાં આવેલા સંચાલકીય સુધારાઓએ ૧૯૬૮ના ડેઇલીમેલ સર્વેમાં એર ઇન્ડિયાને વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન બનાવી હતી. જ્યારે સિંગાપોરે પોતાની એરલાઇન શરૂ કરી રહ્યું હતું ત્યારે ત્યાંના વડાપ્રધાને ટીમને એર ઇન્ડિયાની શ્રેષ્ઠ ગુણવત્તાનો કેસ સ્ટડી કરવા કહ્યું !

રતન ટાટાએ પણ આ ડીલ બાદ કેટલીક રોચક વાતો જાહેરમાં મૂકી કે, કેવી રીતે જેઆરડી ટાટાએ એર ઇન્ડિયાને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત એરલાઇન બનાવી હતી. ટાટા ગ્રુપના બ્લોગમાં પણ વાતો મુકાઇ છે. એર ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય સેવા ૧૯૪૮માં નેતૃત્વમાં શરૂ થઈ હતી. જેઆરડી પોતે પણ મુંબઈથી લંડન જતી આ ફ્લાઈટમાં બેઠા હતા અને દરેક નાની-નાની બાબતો પર નજર રાખતા.

એર ઇન્ડિયાનો આરંભ એપ્રિલ, ૧૯૩૨માં ઉદ્યોગપતિ જેઆરડી ટાટાએ કર્યોતો પરંતુ તેનું નામ એર ઇન્ડિયા નહોતું, પહેલાં નામ ટાટા એરલાઇન્સ હતું. એર લાઇન ભલે ૧૯૩૨માં સ્થાપી પણ જેઆરડીએ શોખની રીતે પ્રથમ ૧૯૧૯માં વિમાન ઉડાવ્યું હતું. જ્યારે માત્ર ૧૫ વર્ષના હતા, પછી તેણે પાયલોટનું લાયસન્સ મેળવ્યું. તેમણે જ ૧૫ ઓક્ટોબરના પહેલી કોમર્શિયલ ફ્લાઇટનું ઉડ્ડયન કર્યું હતું. જે કરાચીથી મુંબઇ વાયા અમદાવાદ અને સિંગલ એન્જિનવાળું હતું. આ ફ્લાઇટમાં કોઈ મુસાફરો નહોતા, પરંતુ 25 કિલો પત્રો હતા. આ પત્રો લંડનથી કરાચીમાં 'ઈમ્પિરિયલ એરવેઝ' દ્વારા લાવવામાં આવ્યા હતા. 'ઇમ્પિરિયલ એરવેઝ' બ્રિટનનું રાજવી વિમાન હતું, પછી નિયમિત રીતે ટપાલ મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ.

ભારતમાં તત્કાલીન બ્રિટિશ સરકારે ટાટા એરલાઇન્સને કોઇ આર્થિક મદદ કરી. માત્ર દરેક પત્ર દીઠ ચારા આના અપાયા. વિચારો એ વખતે કેટલી હીમત કરી ને એરલાઇન્સ શરૂ કરી હશે, એક તો અંગ્રેજોનું સાશન. શરૂઆતમાં ટાટા એરલાઇન્સ મુંબઇના જુહુ નજીક માટીના મકાનમાંથી સંચાલીત થતી, ત્યાં મેદાનનો ઉપયોગ 'રનવે' તરીકે થતો.  જ્યારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય. સમયે 'ટાટા એરલાઇન્સ' પાસે બે નાના સિંગલ એન્જિન વિમાનો, બે પાયલોટ અને માત્ર ત્રણ મિકેનિક હતા ! પાણી ભરાય ત્યારે પૂનાથી વિમાનો ચલાવતા હતા. 'ટાટા સન્સ' કંપનીની સ્થાપના બે લાખના ખર્ચે થઈ હતી. બ્રિટીશની શાહી 'રોયલ એરફોર્સ'ના પાયલોટ હોમી ભરૂચા ટાટા પ્રથમ પાઇલટ હતા, જ્યારે વિન્સેન્ટ બીજા અને જેઆરડી જાતે ત્રીજા પાઇલટ હતા.

બીજા વિશ્વયુદ્ધ પછી એરલાઇન્સ સેવાઓ પુન શરૂ કરાઇ ત્યારે ૨૯ જુલાઇ, ૧૯૪૬ ટાટા એરલાઇન્સ 'પબ્લિક લિમિટેડ' કંપની બની અને તેનું નામ બદલીને 'એર ઇન્ડિયા લિમિટેડ' કરાયું. આઝાદી પછી ૧૯૪૭માં ભારત સરકારે એર ઇન્ડિયામાં ૪૯ ટકા હિસ્સો લીધો અને ૧૯૫૩માં સંપૂર્ણ અધિગ્રહણ લીધું. આમ, ખરેખર એર ઇન્ડિયાને લેવા માટે પાત્ર ટાટા ગ્રૂપ જ હતું અને એ જ થયું.  


એટલી ખસ્તા હાલત કે સરકાર પાસે વેચવા સિવાય વિકલ્પ નહોતો

એર ઇન્ડિયા ભારતની શ્રેષ્ઠ બ્રાન્ડ પૈકીની એક હતી પરંતુ રાષ્ટ્રીયકરણ પછી તેની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ અને દિનપ્રતિદિન સ્થિતિ વધુ બગડતી ગઈ. જેમાં સરકારની નીતિઓ જવાબદાર રહી. ૮૦ના દાયકા પછી વ્યાવસાયિક ધોરણોનો અભાવ થયો. એક પછી એક મંત્રીઓ ખોટા નિર્ણયો લેવા માંડ્યા,ડાપ્રધાન નરસિંહ રાવના સમયથી કંપનીએ નવા વિમાન ખરીદવાનું બંધ કરી દીધું.

સૌથી પહેલા ૨૦૦૧માં વાજપેયી સરકારે વેચવાના પ્રયાસ કર્યા, પણ તે સફળ ન થયા. પછી મનમોહનસિહની સરકાર આવી ખોટ વધતી ગઈ. વેચવાની વાત પડતી મૂકી. ૨૦૧૪ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ફરી પ્રયાસ કર્યા. સમજો કે,રકાર મજબૂરી હેઠળ એર ઈન્ડિયા ચલાવી રહી હતી. ૭૬ ટકા હિસ્સો વેચવાની વાત કરી એ સફળ ન થઈ ને હવે ૧૦૦ ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લીધો, પછી જ વાત બની. કોઈપણ સંજોગોમાં વેચવું પડે એવી સ્થિતિ જ આવી ગઈ. અંતે, ખરીદનાર દ્વારા મૂકવામાં આવેલી માંગણી પણ સ્વીકારવી પડી. .


એર ઈન્ડિયા પાસેથી ટાટાને શું મળ્યું ?

-ર ઇન્ડિયા વિશ્વભરમાં ટાટા જૂથને દોઢસોથી વધુ વિમાનો, હજારો પ્રશિક્ષિત પાઇલટ

-  સ્થાનિક એરપોર્ટ પર ૪૪૦૦ અને ૧૮૦૦ આંતરરાષ્ટ્રીય લેંડિંગ અને પાર્કિંગ સ્લોટ

- વિદેશના એરપોર્ટ પર ૯૦૦ સ્લોટ પણ મળશે, જેમાં સૌથી વધુ લંડનના હીથ્રોમાં.

-ર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સો ઉપરાંત, તેની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ૧૦૦ ટકા હિસ્સો અને તેના એક સંયુક્ત સાહસ એર ઈન્ડિયા એસએટીએસમાં ૫૦ ટકા હિસ્સો.

- ૧૧૭ પહોળા અને નાના વિમાનો અને ૨૪ એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનો મળશે.

- નુકસાની છતાં, એર ઇન્ડિયા પાસે લાખો ડોલરની સંપત્તિ. ગયા વર્ષે માર્ચમાં તેનું મૂલ્ય અબજ ડોલર હતું. લંડનના હિથ્રો એરપોર્ટ પોતાનો સ્લોટ.

-ર ઇન્ડિયા પાસે ૪૦ ૦૦૦ કલાકૃતિઓનો સંગ્રહ.


એરહોસ્ટેસ જેઆરડીના જમાનામાં સ્કર્ટ પહેરતી હતી, બાદમાં સાડી બદલવામાં આવી

પ્રારંભિક તબક્કામાં સંચાલન જેઆરડી ટાટાના હાથમાં હતું, તે સમયે એર હોસ્ટેસ વેસ્ટર્ન ડ્રેસ પહેરતી હતી. તે સમયે ટાટા એરલાઇન્સની મોટાભાગની એરહોસ્ટેસ યા એંગ્લો-ઇન્ડિયન અથવા યુરોપિયન મૂળની હતી. એર ઈન્ડિયા ૧૯૫૩માં સરકારના હાથમાં ગઈ અને ૧૯૬૦ના દાયકામાં એર હોસ્ટેસનો ડ્રેસ કોડ બદલાયો. ભારતીય સંસ્કૃતિની વધુ ઝલક બતાવવા માટે સાડી ડ્રેસ કોડમાં સમાવવામાં આવી હતી, આજે સાડી અને વેસ્ટર્ન ડ્રેસ કોડ બંને અમલમાં છે.

No comments:

Post a Comment