રાયપુરમા` કચ્છીમાડુનો અનોખો
પેટ્રોલ પ`પ `અમર જવાન ફ્યુઅલ'
છત્તીસગઢની રાજધાની પાસે એક એવો પ`પ છે, જ્યા` પ્રવેશતા` દેશભક્તિ અને અતિથિભાવથી ર`ગાઈ
જવાય : ગૌશાળા અને ગુરુકુળ જેવી સેવાની સાથે હરીશભાઈ જોષીએ બે એવા પ`પ શરૂ કર્યા, જેનો તમામ નફો શહીદ જવાનના પરિવાર માટે ઉપયોગી બને, જેથી યુવાનોને પ્રેરણા મળે
દિવ્યેશ વૈદ્ય દ્વારા
ભુજ, તા. 6 : દુલેરાય કારાણીની બહુ
પ્રસિધ્ધ પ`િક્ત છે, `કચ્છડો ખેલે ખલક મેં, જી` મહાસાગર મે` મચ્છ, જિત
હિકડો કચ્છી વસે, ઉત ડિયાણી કચ્છ...' સાહસ અને સેવા એ કચ્છીની પ્રકૃતિમા` છે. ભલે તે વિશ્વમા` કોઈપણ છેડે જાય, આ વારસો, આ ભાવના, આ પ્રકૃતિ ન ભુલાય. છત્તીસગઢની રાજધાની રાયપુર સ્થિત એક કચ્છી પરિવારની આ
વાત છે, જેણે બધી જગ્યાએ કચ્છી
શ્રેષ્ઠીઓ કરે છે એમ ગૌશાળા, ગુરુકુળ
તો ખોલ્યા` જ છે,
પણ એક નવતર પેટ્રોલપ`પ પણ શરૂ કર્યો છે, જેનો
દેશભરમા` જોટો જડે તેમ નથી. દેશભક્તિની
ભાવનાથી હર્યોભર્યો અને કચ્છીની ઓળખ આપતી આતિથ્યભાવના ઉજાગર કરતા આ મૂળ ઈન્ડિયન
ઓઈલના પેટ્રોલપ`પના સ`ચાલક છે હરીશભાઈ જેઠાલાલ જોષી. રાયપુરથી ર0 કિ.મી. દૂર વિલાસપુર માર્ગે આવેલા આ પ`પની વિશિષ્ટતા એ છે કે, તેનો તમામ ચોખ્ખો નફો સેનાના શહીદ જવાનોના પરિવારજનોની સહાય માટે સમર્પિત
કરી દેવામા` આવે છે. માત્ર આવક જ નહીં, સમગ્ર પેટ્રોલપ`પને દેશભક્તિના` તસવીરો-સૂત્રો
અને દિલ્હી સ્થિત અમર જવાન જ્યોત જેવી એક જ્યોતનુ` શહીદ સ્મારક ઊભુ` કરવામા` આવ્ય`y છે.
જ્ઞાતિએ ઔદિચ્ય બ્રાહ્મણ અને પરિવારના` મૂળિયા` ભુજ તાલુકાના` ગામ મોટા રેહા
સાથે જોડાયેલા`. આઝાદી પછીના ગાળામા` કામકાજ માટે દાદાએ વતન છોડયુ`
હત`y અને પછી
પિતા જેઠાલાલ કાશીરામ જોષી મધ્ય પ્રદેશમા` એસ.ટી.મા` નોકરી કરી, આજે કમાયા અને બે પેટ્રોલપ`પ થયા, જે સમાજે આપ્યુ` તેને પાછુ` આપવાની ભાવનાથી એક પ`પ દેશના
વીર શહીદોને સમર્પિત કરી દીધો.
કચ્છમિત્ર સાથેની ખાસ મુલાકાતમા` વતનને યાદ કરીને આવા પેટ્રોલપ`પનો વિચાર કેમ આવ્યો તેવા સવાલ પર કહ્યુ` કે, 1978મા` પેટ્રોલપ`પમા` નોકરી
કરતો હતો અને ફરજનિષ્ઠાથી રાજી થઈ ક`પનીના
અધિકારીએ એક પેટ્રોલપ`પ ખોલવા ફોર્મ
ભરવા કહ્યુ`, ઈન્ટરવ્યૂ આવ્યો, હુ` તો
ભૂલી ગયો હતો, આશા નહોતી, પણ બે વર્ષ બાદ મારી પસ`દગી થઈ. બેંકમા` કોઈ મૂડી ન
મળે. ચોખ્ખુ` કહી દીધુ`, મારી પાસે મૂડી નથી, પણ અધિકારીએ જાતે કરજ આપી મને પ`પ અપાવ્યો. ધીરેધીરે કમાયા અને સેવાનો વારસો પહેલેથી એટલે ગૌશાળા શરૂ કરી, ગુરુકુળ શરૂ કર્યું, ઘણા વિદ્યાર્થીઓ ધો.12 પછી
લશ્કરમા` જોડાવા તૈયારી કરતા હતા. એમને
જીમની વ્યવસ્થા કરી. ઘણા સેનામા` પસ`દગી પણ પામ્યા, પર`તુ તેમના પરિવારની સાથે દેશ
ઊભો છે, તેથી સેનામા` જોડાવાની પ્રેરણા આપવા શહીદ પરિવારો માટે ક`ઈક કરવાનો વિચાર આવ્યો. નવો બીજો પેટ્રોલપ`પ શરૂ કર્યો, જે શહીદ પરિવારના` કલ્યાણ માટે
સમર્પિત કર્યો. જ્યા` પેટ્રોલ ભરાવવા
આવનારી દરેક વ્યક્તિ પ્રવેશતા` જ
દેશપ્રેમથી છલકાઈ જાય અને સેનામા` જોડાવાની
પ્રેરણા પામે. દરેક પેટ્રોલ ભરાવવા આવનારને અહીં વિનામૂલ્યે ચા-પાણી અને આરામ માટે
રૂમની વ્યવસ્થા છે. નિ:શુલ્ક હવા-પાણી, ગાડી ધોવાનુ` તો ઘણી જગ્યાએ
મળે, પણ અમે `અતિથિ દેવો ભવ'ની ભાવના ઊભી
કરી છે.
કચ્છના` જોડાણ વિશે તેમણે કહ્યુ` કે, ભુજના નાગરચકલા વૈજનાથ શેરીમા` મારુ` મોસાળન`y ઘર હત`y. માતા દેવકન્યાબેને ભુજની ઓફ્રેડ હાઈસ્કૂલમા`થી એ જમાનામા` મેટ્રિક કર્યું, જ્યારે કન્યા શિક્ષણ બહુ ઓછુ`
હતુ`. 1956મા` માતા રાયપુરમા` ગુજરાતી સમાજે શરૂ કરેલી ગુજરાતી શાળામા` શિક્ષક અને આચાર્ય બન્યા` અને 35 વર્ષ રહ્યા પછી સેવાભાવથી ગુરુકુળ શરૂ
કર્યું.
બાજુમા` જ બ`જરી માતાના` મ`િદર
સ`કુલમા` ગૌશાળા પણ શરૂ કરી, આમ
સેવાક્ષેત્રે કદમ મા`ડતા` પેટ્રોલપ`પનો નવતર આયામ શરૂ થયો.
માત્ર એક સમયનુ` ભોજન લેવા, ગરમ કપડા` છોડવા` અને પગરખા`નો ત્યાગ કરી ખુલ્લા
પગે રહેવાનો આકરો સ`કલ્પ લઈ સેવામા` લાગેલા હરીશભાઈએ વધુમા` આ પ`પ વિશે વાત કરી કે, એનુ` નામ
જ `અમર જવાન ફ્યુલ' આપ્યુ` છે.
અમારુ` બ`જરી માતા ટ્રસ્ટ, સૈનિક કલ્યાણ બોર્ડ સાથે મળીને આ પ`પની
તમામ આવક શહીદ પરિવારના` બાળકોના અભ્યાસ, લગ્ન કે બીજા` કલ્યાણ માટે સમર્પિત થાય છે. આ સિવાય ટ્રસ્ટ
દ્વારા અનાથ બાળકોને,
ઉચ્ચ શિક્ષણ તાલીમ, પશુ-જીવદયા જેવા` કામો તો વર્ષોથી
થાય જ છે.
No comments:
Post a Comment