બે કાર્ડના `આધારે' કાળાં નાણાં
પર હવે આઈટીની `પૈની' નજર
26 મેથી અમલી બનતા એક વર્ષમાં 20 લાખના વ્યવહાર પર
પાન - આધાર કાર્ડના નવા
નિયમથી કરચોરો સરળતાથી પકડાઈ શકશે
અર્થતંત્રમાં ફરતાં કાળાં નાણાંને અંકુશમાં લેવાનો કેન્દ્ર સરકાર લાંબા સમયથી સજ્જડ પ્રયાસ કરી જ રહી છે અને એક પછી એક કડક પગલાંની જાહેરાત થાય છે, પરંતુ ઘણા ટેક્સચોરો નીતનવા નુસખા કરીને હજુ છટકી જવામાં સફળ જ રહે છે. નોટબંધીનું પગલું એ કાળાં નાણાં પર અને આતંકીઓ દ્વારા ત્રાસવાદ ફેલાવવા માટે વપરાતી નકલી નોટ અને કાળાં નાણાં પર અંકુશ માટે જ હતું અને એમાં કાળાં નાણાંવાળા ધારકોએ નાનાવર્ગને લાઈનોમાં ઊભાડી કે બીજા નુસખાથી મોટે ભાગે રોકડ કરી લીધી, પરંતુ સિસ્ટમની નજરમાં રોકડ આવી ગઈ, એ લાભ થયો. અત્યારે રોકડમાં 50,000 કે તેથી વધુ રકમ બેંકમાં જમા કરવા માટે પાન કાર્ડ મગાય છે, પરંતુ ગત મંગળવારે સીબીડીટી (કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ)એ નવું જાહેરનામું બહાર પાડીને ટેક્સચોરો અને કાળાં નાણાં પર `બાજ'નજર રાખવા માટે એક નવું કડક પગલું લીધું છે. જે હાલની ખામીઓ અને છટકબારીઓને દૂર કરશે તેમજ આવકવેરા તંત્રને આવા કરચોરોને પકડવામાં સરળતા કરશે. આવકથી વધુ કમાતા અને રોકડમાં વ્યવહાર કરનારાઓને ચેતવતો આ બદલાવ આવ્યો છે.
આમ તો,
બેંક ખાતું ખોલવામાં પાન કાર્ડ માગવામાં આવે છે અને ધીરેધીરે મોટાભાગના
ખાતાધારકોના પાન કાર્ડ - આધાર કાર્ડ લિન્ક પણ થઈ ચુક્યા છે, પરંતુ
હવે કો-ઓપરેટિવ - સહકારી બેંકો અને પોસ્ટ ઓફિસમાં ખાતાં ખોલવાં કે બેંકોમાં ચાલુ ખાતું
કે કેશ ક્રેડિટ ખાતું ખોલવામાં પાન કાર્ડ, આધાર કાર્ડ ફરજિયાત
બનાવી દેવાયા છે ને વળી હવે તમારી રોકડ કોઈ પણ સ્થાને હોય આ કાર્ડના આધારે પકડી શકાશે.
સીબીડીટીનો નવો નિયમ આગામી 26મી મે, 2022થી જ અમલી બની જશે. એમાં મહત્ત્વના
સુધારા મુજબ કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં 20 લાખથી વધુની રોકડ કે ચેક દ્વારા બેંક,
સહકારી બેંક કે પોસ્ટ ઓફિસ ક્યાંય પણ, જમા કે ઉપાડ
કે થાપણ કરશે તો એ માટે આવકવેરા તંત્ર દ્વારા
અપાતો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન કાર્ડ) ફરજિયાત બનશે.
અત્યારે એક દિવસમાં એક જ બેંકમાં 50,000 જમા કરવાની મર્યાદા છે, વધુ જમા કરવા હોય તો પાન નંબર આપવો ફરજિયાત છે, ઉપાડમાં
કોઈ રકમ મર્યાદા નહોતી. એમાં જો દૈનિક 40,000ની રકમ જમા કરવામાં
આવે તોય વર્ષ પૂરું થાય તે પહેલાં જ 1 કરોડથી ઉપરની રકમ બેંકમાં નાખી દેવાનું શક્ય
હતું. વળી, કોઈ પાન કાર્ડ કઢાવે નહીં, એવુંય
બને કે, પાન કાર્ડ વિનાના સગાંસંબંધીનાં ખાતાંનો ગેરઉપયોગ પણ
થાય, હવે કોઈ પણ સ્થાનનું ખાતું હોય, બધા
મળીને કુલ વ્યવહાર 20 લાખથી વધુ થયો તો સીધો રિપોર્ટ થશે. બેંક પણ અહીં જવાબદાર ગણવામાં
આવી છે. હવે માત્ર જમા નહીં, 20 લાખથી વધુનો ઉપાડ થયો તોય પાન
કાર્ડ કે આધાર કાર્ડ રજૂ કરવો પડશે. જેમણે અગાઉ બેંકમાં કાર્ડ?રજૂ કરેલા છે, છતાં પણ મર્યાદાથી વધુના વ્યવહાર પર આ
કાર્ડ?આપવા પડશે. નવા નિયમમાં બેંકો, પોસ્ટ
ઓફિસને બાધ્ય કરવામાં આવી છે. સહકારી બેંકો પણ હવે ઢીલું નહીં ચલાવી શકે. તેઓએ ખાતરી
આપવી પડશે કે, પેન - આધાર કાર્ડ લીધા છે કે નહીં, અત્યાર સુધી ક્યાંક ખાનગી બેંકોમાં ચાલતું કે, `પછી કાર્ડ આપશો તો ચાલશે' પણ હવે નહીં ચાલે. વધુ વ્યવહારવાળાં
ખાતાંનો આવકવેરા તંત્રને રિપોર્ટ થઈ જશે. રજૂ કરાયેલા કાર્ડ?પણ
ઉચ્ચ અધિકારીઓ અધિકૃત કરશે.
આ ઉપરાંત નવા ડેબિટ, ક્રેડિટ કાર્ડ, મર્યાદાથી વધુ મ્યુચ્યુઅલ
ફંડમાં ચૂકવણી, બેંક ડ્રાફ્ટ, બેંક ડિપોઝિટ,
વીમો, વાહન લે - વેચમાં પાન કે આધાર (બાયોમેટ્રિક
ઓળખ) ફરજિયાત કરી દેવાયા છે. પાન કાર્ડ?નહીં હોય અને 20 લાખથી
વ્યવહાર ઉપર થઈ ગયા તો, એવા વ્યવહારથી 7 દિવસ પહેલાં પાન કાર્ડની
અરજી કરવી પડશે. અત્યાર સુધી પાન કાર્ડ નથી એમ કહીને છૂટી જવાતું હતું, હવે આધાર કાર્ડ તો આપવો જ પડશે. ટૂંકમાં, ગેરફાયદો ઉઠાવાતો
હોવાનું સરકારની જાણમાં છે અને અમર્યાદિત રોકડ પર અંકુશ લગાડવા માગે છે. જેની પગાર
કે વેપારની આવક નથી કે આવકવેરા રિટર્ન પણ ભરતા નથી એવા લોકોના લાખોના વ્યવહાર કેમ થાય
છે ? આ બાબતને પકડવામાં આ મહત્ત્વનો નિર્ણય છે. આ પગલાંથી પારદર્શિતા
વધશે. સરકારને રોકડ લેવડદેવડ પર નજર રાખવામાં મદદ થશે. વધુને વધુ લોકો ટેક્સની જાળમાં
આવશે. આવકથી વધુ સંપત્તિવાળા નહીં બચે એવી નવી અપેક્ષા ઊભી થઈ છે.
હવે નવા નિયમ શું ?
0 એક નાણાકીય વર્ષમાં એક કે તેથી વધુ બેંક ખાતાં કે પોસ્ટ ઓફિસમાં કુલ 20 લાખથી
વધુના રોકડની ઉપાડ કે જમાનો વ્યવહારમાં પેન કે આધાર કાર્ડ ફરજિયાત, જેમાં તમામ
બેંક ખાતાં, સહકારી બેંકો, પોસ્ટ ઓફિસનાં
ખાતાંના તમામ વ્યવહારની કુલ ગણતરી થશે, ડિપોઝિટ પર પણ લાગુ.
0 રજૂ કરાયેલા આધાર -પાનની જાણકારી નિર્દિષ્ટ ઉચ્ચ અધિકારી દ્વારા અધિકૃત વ્યક્તિ
સમક્ષ રજૂ થશે. અધિકૃત અધિકારીઓ તેને પ્રમાણિત કરશે.
0 જે દિવસે મર્યાદાથી વધુ નાણાં વ્યવહાર કરવો હોય તે પહેલાંના 7 દિવસ અગાઉ
પાન કાર્ડ માટે અરજી કરેલી હોવી જોઈએ.
0 એક દિવસમાં રૂા. 50,000થી વધુની રકમ જમા કરવા પર પેન કાર્ડની આવશ્યકતા યથાવત. ચાલુ
ખાતું કે કેસ ક્રેડિટ ખાતું ખોલવામાં પણ પાન કાર્ડ ફરજિયાત છે.
No comments:
Post a Comment