Monday, 30 November 2020

After a difficult time of job and pay cut, time now start of recovery by I.T. and AUTO sector. છટણી અને પગાર કાપના કાળ પછી આઈટી-ઓટો સેક્ટરથી સુધારો

જોબ ક્ષેત્રમાં કોરોનાના કારણે 2008 કરતાં વધુ ખરાબ સ્થિતિ સર્જાઈ હતી : 
એક તબક્કે દેશમાં કુલ 1.89 કરોડ નોકરિયાતો ભોગ બન્યા, પણ ઓક્ટોબરમાં અપાયેલી 1 લાખ નવી નોકરીમાં ટેકનોલોજી પ્રાધાન્ય :સપ્ટેમ્બરમાં ઓટો ક્ષેત્ર સુધર્યું

 

2008-09માં ભારતમાં વૈશ્વિક મંદીની ભારે અસર હતી. શેરબજાર ગગડયું હતું, કંપનીઓના નફાને અસર પહોંચી હતી, પરંતુ ચાલુ વર્ષે કોરોનાકાળ દરમ્યાન લાદવામાં આવેલા લોકડાઉન અને પછીના પ્રતિબંધોની અસરમાં અર્થતંત્રને ભારે જફા પહોંચી અને અંતે અસર થઈ કર્મચારીઓ પર છટણી કે પગાર કાપ દ્વારા. સીએમઆઈઈ (સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી)નાં  છેલ્લા હેવાલ મુજબ એપ્રિલથી કંપનીઓમાં છટણી શરૂ થઈ અને એક તબક્કે ભારતમાં કુલ આંક 1.89 કરોડ સુધી પહોંચી ગયો. 2008ની મંદીમાં પણ નોકરીઓમાં આટલો મોટો કાપ નહોતો આવ્યો. એ વર્ષમાં 55 લાખ લોકો બેરોજગાર બન્યા હતા. આ વખતે માત્ર પ્રવાસન સેક્ટરમાં જ 50 લાખ જેટલા લોકો નોકરી વિનાના થયા. જો કે, જૂનથી  સુધારો  જોવાયો છે. નોકરી ગુમાવનારાઓની ટકાવારી  પ્રવાસન, રિયલ એસ્ટેટ, હોટલ, ઉડ્ડયન, ફિલ્મ ક્ષેત્રમાં વધુ હતી. તો સુધારામાં આઇટી-ફાર્મા અને ઓટો સેક્ટર અગ્રેસર રહ્યું છે. ટેકનોલોજી અને ફાર્મા સેક્ટરમાં તો અટકેલા  ઇક્રીમેન્ટ અને બઢતીઓ પાછી મળવાની શરૂઆત?થવા સાથે નવી ભરતીમાં અગ્રેસર રહ્યા છે. કોરોનાકાળ પછીની ભરતીઓમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી છે કે, ડિજિટલાઇઝેશન અને વર્ક ફ્રોમ હોમ વધ્યા હોવાથી ટેકનોલોજી કૌશલ્યપ્રધાન બની ગયું?છે.

સીએમઆઇઇના એક હેવાલને ચકાસીએ તો એપ્રિલમાં સૌથી વધુ 1.77 કરોડ નોકરીઓ છૂટી હતી.  મે-જૂનમાં આ વલણ જારી રહ્યું, પરંતુ જૂનમાં 39 લાખ નવી ભરતી હતી. સુધારાના સંકેત મળવા શરૂ થઇ ગયા હતા. સમગ્રતયા અંદાજ મુજબ કુલ નોકરિયાતોના 21 ટકા છટણીનો ભોગ બન્યા હતા.

વિદેશમાં પણ બેરોજગારીનું પ્રમાણ વધ્યું, તેની અસરો થઇ. બ્રિટને  વિદેશીકર્મીઓ માટે નોકરીના નિયમો કડક બનાવતાં ભારત સહિતના  દેશોમાંથી જતા કર્મચારીઓ ભોગ બની રહ્યા?છે. સંયુકત રાષ્ટ્રના  આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ)ના છેલ્લા હેવાલ મુજબ, લેટીન અમેરિકામાં કુલ 3.7 કરોડ નોકરીઓ ગઈ છે. 80 ટકા કાર્યબળનો હિસ્સો છે એવા 9 દેશની સ્થિતિ પરથી આ હેવાલ પ્રગટ થતો રહે છે. ઓક્ટોબરમાં વર્લ્ડે વધુ 11,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા. આ પહેલાં પણ આ પ્રતિષ્ઠિત પ્રવાસન મથકે ફ્લોરિડા અને કેલિફોર્નિયમાં 28,000 નોકરીની છટણી કરી તેમાં ભારત સહિત વિશ્વભરના કર્મચારીઓ હતા.

છટણીની અસર મહિલાઓ પર વધુ થઈ. ઈપીએફઓના ડેટા મુજબ ઓગસ્ટમાં જે 6,69,914 લોકોને નવી નોકરી મળી એમાં મહિલાઓની સંખ્યા માત્ર 1,33,872 હતી. જે 20 ટકાથી નીચે છે. કોરોનાકાળમાં ખર્ચા બચાવવાને પ્રાધાન્ય આપીને કંપનીઓએ ઓછી ભરતી કરી હતી. કારણ કે, મહિલા સુરક્ષા પાછળ ખર્ચ વધુ રહે છે. બીજી બાજુ, ટોચની સંસ્થાઓમાં કેમ્પસ પ્લેસમેન્ટ 15થી 20 ટકા ઘટયું છે. ફાર્મા, હેલ્થ અને ટેકનોલોજી ક્ષેત્ર સિવાય કેમ્પસ નોકરીઓમાં મુશ્કેલી વધી છે.

જો કે, છેલ્લા એક મહિનાથી દરેક ક્ષેત્રમાં ઓછે વત્તે સ્થિતિ સુધરે છે. જાણીતી સ્ટાફિંગ કંપની એક્સફેનોએ કરેલી સમીક્ષા મુજબ, ઓક્ટોબરમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ સહિત આઈટી કંપનીઓએ નોકરીઓ આપી. સૌથી વધુ નોકરીઓ ડેવલપર પ્રોગ્રામિંગ, ડેટા ઇન્જિનીયર, કલાઉડ કોમ્પ્યુટિંગ અને સાયબર સિક્યુરિટીમાં ખૂલી. હોટ ટેક જોબ્સનો હેવાલ પણ એવું જ કહે છે કે, ઓક્ટોબરમાં 1 લાખથી વધુ નવી નોકરીઓ આપવામાં આવી છે. આમ, સુધારાની શરૂઆત થઇ ચૂકી છે અને ઇન્જિન છે `આઇટી ક્ષેત્ર.' કુલ નોકરીઓમાં એપ્રિલમાં 30 ટકા ઘટાડો હતો જેની સામે સપ્ટેમ્બરમાં ગત વર્ષની સરખામણીએ 30 ટકા વધુ હાયરિંગ થઇ. માત્ર ગુજરાતની જ વાત કરવામાં આવે તો આઇટી ક્ષેત્રમાં આગામી 6થી 8 મહિનામાં 35,000 નવી નોકરી ઊભી થવાની આશા છે. કુલ માંગમાં 40 ટકા સાથે આઇટી સૌથી ટોચમાં છે. જ્યારે નોકરી ડોટ.કોમ કહે છે કે, સુધારાના ટ્રેન્ડમાં 29 ટકા તો ઓટો ક્ષેત્રનો હિસ્સો છે. આમ જાન્યઆરી બાદ સ્થિતિ સંપૂર્ણ સુધરવાની આશા છે. 


Monday, 9 November 2020

Hope for Diwali, There is a Disappointment for the firecrackers sector. 10,000 કરોડનો ફટાકડા કારોબાર; દિવાળી પર હતો મદાર; પ્રદૂષણના કારણે લાગી ફટકાર

 

આઠ રાજ્યમાં લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ : અનલોક પછી મોટેભાગે સુધારાના સંકેતો

પરંતુ દેશમાં પાંચ લાખ શ્રમજીવીને રોજગારી આપતી બજાર પર સંકટ વધુ ઘેરું

દિવાળી નજીક આવી ગઇ?છે અને હવે કપડાં બજાર હોય કે ઇલેક્ટ્રોનિક કે મીઠાઇ, ગિફ્ટ પેકિંગ કે સોનું-ચાંદી હોય હવે બજારમાં ખરીદીએ ગતિ પકડી હોવાના સમાચારો દેખાય છે. ક્યાંક ભલે ઓનલાઇન ખરીદી વધુ થવાના કારણે સ્થાનિક બજારો પર અસર પડી હોવાની વેપારીઓ ફરિયાદ કરે છે, પરંતુ કોરોના અને એ પછીના લોકડાઉનને પગલે પડેલી અર્થતંત્ર પરની અસરોને સંબંધ?છે ત્યાં સુધી બધે સુધારાના સંકેત છે, માત્ર?એક સેક્ટર વધુ ચર્ચામાં છે - ફટાકડા ઉદ્યોગ. પહેલાં કોરોનાના કારણે ફેક્ટરીઓ લાંબો સમય બંધ રહી, લગ્નગાળાની સિઝન ગુમાવી, પછી બધી આશા દિવાળી પર હતી, જેમાં વર્ષનો લગભગ 75 ટકા ધંધો થાય છે. આ પડયા પર પાટુ માર્યું પ્રદૂષણની સમસ્યાએ. બીજું, કોરોનાના દર્દીને કે સ્વસ્થ થઇ ચૂકેલા દર્દીને પણ આ ધુમાડો નુકસાન કરે છે તેવી શક્યતા છે.

આમ તો ભારતીય શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ વધતાં 2018થી સુપ્રીમ કોર્ટે ચીન સહિતના દેશોમાંથી આયાતી ફટાકડા પર નિયંત્રણો લાદ્યા પછી કેન્દ્ર સરકારે તો મનાઇ?કરી જ દીધી છે અને સમગ્ર ફટાકડા કારોબાર ઘટતો હતો ત્યાં કોરોના મહામારી આવી અને પ્રદૂષણનો આંક પણ ચિંતાજનક આવતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્યોને નોટિસો ફટકારી. છ રાજ્યોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધો મૂકી દીધા. ગુજરાતે ગઇકાલે જો કે નોટિસ મળ્યા બાદ જાહેરમાં ફટાકડા ફોડવાની મનાઇ કરી અને સમયમર્યાદા નિશ્ચિત કરી છે. દિલ્હીએ તો 30મી નવેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ અને અન્ય રાજ્યોની જેમ ઇકોફ્રેન્ડલી-ગ્રીન ફટાકડા ફોડવાની પણ દિવાળી તહેવારોમાં મનાઇ રાખી છે. કોરોનાકાળ અને પ્રદૂષણ આ બંને પરિબળોથી દેશનો લગભગ 10,000 કરોડનો ફટાકડા કારોબાર અને પાંચ લાખ લોકો રોજગારી મેળવે છે એ ગરીબ કામદારો અસરગ્રસ્ત બનશે. કારણ?કે દિવાળીને જૂજ  દિવસો બાકી રહ્યા છે અને હજુ 30થી 40 ટકા જ ડિમાન્ડ આવી હોવાનું ભારતીય ફટાકડા ઉત્પાદક એસોસિયેશન કહે છે. સ્થાનિકે હેવાલો જ જોઇએ, અને કચ્છનો દાખલો જ લઇએ તો ગત વર્ષ કરતાં માત્ર અડધી જ સંખ્યામાં દુકાનો માટે લાયસન્સ મગાયા છે. આમ, સમગ્ર દેશનો ફટાકડા ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે. દિવાળી ફટાકડા બજાર દર વર્ષ કરતાં ઘણી મંદ રહેશે એ લગભગ નિશ્ચિત બન્યું છે.

એનજીટી (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ)ના હેવાલ મુજબ દેશના 122 શહેરોમાં હવાની ગુણવત્તા અનુકૂળ માપદંડથી નીચે છે. જે 18 રાજ્યોને નોટિસ અપાઇ?છે એમાંથી રવિવાર સવાર સુધીમાં છ રાજ્યો ફટાકડા ફોડવા, વેચવા પર પ્રતિબંધ ફરમાવી ચૂક્યા છે જેમાં દિલ્હી, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન, ઓરિસ્સાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રે માર્ગદર્શિકા બહાર પાડી છે. અચાનક આવેલા આ ધડાધડ આદેશોથી હોલસેલ વેપારીઓ ડઘાઇ ગયા છે કારણ?કે સામાન્ય રીતમુજબ બે-ત્રણ?મહિના પહેલાં જ ફેક્ટરીઓને આગોતરી રકમ આપીને ઓર્ડર થયા છે એ પ્રમાણે જ ફેક્ટરીઓ ફટાકડા બનાવે છે. હવે થયું એવું કે લોકડાઉન અને એ પછીના સમયના લગ્ન-ઉત્સવો ઊજવાયા નહોતા એટલે સ્ટોક પડયો જ હતો, ત્યાં પ્રતિબંધો આવતાં હવે માલ ભરાઈ જવાનું જોખમ ઊભું થયું છે. બાકીના રાજ્યો પણ પ્રતિબંધ લાદશે તો શ્રમિકોની રોજગારીય છીનવાશે એટલું જ નહીં, દિવાળી પછી એમને મળનારું મહેનતાણું ક્યારે ચૂકવવું એ પણ પ્રશ્ન થશે.

શિવાકાશી છે ઉત્પાદન હબ

દેશમાં તામિલનાડુ ખાતે આવેલું શિવાકાશી એ ફટાકડા ઉત્પાદનનું હબ છે. ભારતના કુલ ઉત્પાદનનો 80 ટકા જથ્થો અહીં બને છે. અહીં, 1070 કંપની નોંધાયેલી છે અને 6000 કરોડનો કારોબાર શિવાકાશીમાં જ થાય છે ને ત્રણ લાખ લોકો કામ કરે છે. બીજો ક્રમ દિલ્હીનો આવે છે. અહીં દર વર્ષે 2000 કરોડનો કારોબાર થતો હતો, જે ધીમે-ધીમે પ્રદૂષણના પ્રતિબંધો બાદ ઘટીને 500 કરોડનો થયો છે. એ પછી આસપાસના ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં ત્રણેક હજાર કરોડનો કારોબાર થાય છે. આમ આ વખતે અહીંના દસ હજાર કામદારોને કામ નહીં મળતાં બેકાર થવાના હેવાલ બહાર આવ્યા છે. અગાઉનો વેચાયા વિનાનો માલ પડયો છે ને ત્યાં નવી માંગ દર વર્ષ કરતાં અડધી પણ નથી આવી. કોરોનામાં વાયુ પ્રદૂષણથી ગંભીર સમસ્યા સર્જાવાની શક્યતાએ અગાઉથી જ ફેક્ટરીઓ બંધ કે ધીમી ગતિએ કામ કરી રહી છે.

ચીની ઘર્ષણ ; દેશી અને ગ્રીન ફટાકડા મોંઘા

ચીન અને વિદેશથી આયાત પર પ્રતિબંધ અગાઉથી જ મુકાયેલો છે. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ રૂલ્સ, 2008 મુજબ ફટાકડાની આયાત માટે કોઈ લાયસન્સ આપવામાં આવતું નથી. જો કે, એક અંદાજ મુજબ 30 ટકા માલ ગેરકાયદે ઘૂસી આવે છે. ચીનના ફટાકડા 30થી 40 ટકા સસ્તા છે, કારણ કે તેમાં ખરાબ ગુણવત્તાનો જ્વલનશીલ પદાર્થ ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું, ગ્રાહકો તો ઠીક વેપારીઓને પણ હજુ ગ્રીન ફટાકડાની જાણકારી નથી ને તેનો ભાવ પણ તે દેશી ઉત્પાદિત ફટાકડાં કરતાં પણ 20-30 ટકા વધુ છે.

Thanks Covid, I lost my job, Now earning more then job..by New startup ..! કોરોનાએ આપી બેરોજગારી, હવે નોકરીથી વધુ કમાણી !

વાત એવા સાહસિકોની જેમણે આપત્તિને અવસરમાં પલટી

વ્યક્તિમાં કામ કરવાની ધગશ હોય, હિંમત હોય, સાહસ વૃત્તિ, વિશ્વાસ હોય તો કોરોના મહામારીના લીધે આવેલા સંકટ શું, ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે છે, બલ્કે, જે સ્થિતિ હોય તેનાથી પણ સારી સ્થિતિમાં આવી આપત્તિને અવસરમાં પલટાવી શકાય છે. આજે એવા વ્યાપારની વાત કરી છે જે યોજનાબદ્ધ કે લાંબાગાળાની તપાસ - અભ્યાસ પછી નહીં   પરંતુ સંજોગોએ  મજબૂર કરી દીધા પછી એવી સ્થિતિને તકમાં કેમ પલટાવવી  તેની હિંમત રાખી  એટલું જ નહીં જે સ્થિતિ હતી તેના કરતાં વધુ આર્થિક સમૃદ્ધિ કમાઇ?લીધી હોય. કોરોના ભારતમાં દેખાયા પછી લોકડાઉન આવ્યું ને અનેક સેકટરો એવા અસર પામ્યા કે કર્મચારીઓ-કામદારોને નોકરીમાંથી છૂટા કરાયા. આ સમયગાળામાં નાના-મોટા કર્મચારીઓ જ નહીં ઘણા એવા કલાકારોના સમાચારો પણ અખબાર કે સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતા થયા કે નોકરી ગુમાવતાં કે કામ ન મળતાં નાનો-મોટો શાકભાજી-કરિયાણા કે ફાસ્ટફૂડની લારીઓ કાઢી વેપાર શરૂ કર્યો હોય. જો કે, હવે અનલોક થયા બાદ ઘણા નવી નોકરીએ પાછા લાગી ગયા છે કે નાનો-મોટો વ્યાપાર શરૂ કરી દીધો છે, પરંતુ અહીં આજે એવા કેટલાક કિસ્સાની વાત કરવી છે, જેના કિસ્સા  દેશભરમાં જાણીતા બન્યા છે અને આ યુવાનોએ  કોરોનામાં નોકરી ગુમાવ્યા બાદ નવું વિચાર્યું, હટકે સાહસ કર્યું ને આજે માત્ર તેનું ગુજરાન નથી ચલાવતા બલ્કે, બીજાનેય રોજગારી આપી શક્યા છે અને જે કમાતા હતા તેનાથી અનેકગણું વધુ કમાય છે. જાણે કોરોનાએ- લોકડાઉન તેમના માટે પ્રગતિના દ્વાર ખોલ્યા હોય.

ઢાબા માટે નાણાં નહોતા, સ્કૂટરને બનાવ્યો ઢાબો

કોરોનાએ દેશભરમાં  હજારોને બેકાર બનાવ્યા છે. કેટલાક રોચક કિસ્સા પણ સામે આવતા રહ્યા છે. દિલ્હીના બલબીરસિંહની એક તસવીર માધ્યમોમાં બહુ વાયરલ થઇ હતી.

બલબીર ગુડગાંવની હોટલમાં ડ્રાઇવર હતો. હોટલ બંધ રહેતાં નોકરી ગઇ.  લોકડાઉન હળવું બનતાં જ તેણે સ્કૂટર પર શરૂઆતમાં રોજનું 20 માણસોનું ભોજન લઇને ફરતે ફરતે વેચવાનું શરૂ કર્યું. ભાવ રાખ્યા 30થી 50 રૂા.

સામાન્ય માણસ એટલે લોજ કે રેસ્ટોરન્ટ ખોલવાનું પોસાય નહીં. ધંધો એટલો વધી ગયો કે, આજે રોજની 100 થાળીના કઢી, ભાત ને રાજમા બપોરે 4 વાગ્યા સુધીમાં વેચાઇ જાય છે.એટલું જ નહીં તેણે તેના બેરોજગાર બની ગયેલા મિત્રને પણ વ્યવસાયમાં જોડી લીધો. બલબીર કહે છે હવે ક્યારેય નોકરી નહીં કરું.

વતન જઇ પોલીહાઉસ દ્વારા કરી લાખોની કમાણી

13 વર્ષ નોકરી કર્યા પછી હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના કુઠાર ગામના રહેવાસી રવીન્દ્ર શર્માને કોરોનાએ વતનની વાટ પકડાવી, પણ ત્યાં જઇને તેમણે એક ન માત્ર દાખલારૂપ કામ કર્યું બલ્કે, લાખો રૂપિયાની કમાણી કરી અને અનેક માટે રોજગારીનું પણ સર્જન કર્યું. લોકડાઉનથી મળેલી પછડાટથી તેમણે હિંમત ન હારી બલ્કે સદ્ઉપયોગ કર્યો. પોલીહાઉસ (વાતાવરણથી નિયંત્રિત કરવામાં આવતી ખેતી) દ્વારા નિર્માણ પામતા શાકભાજીની પંજાબમાં  ઘણી માંગ હોવાનું જાણી સાહસ કર્યું. સરકારી બાગાયતી વિભાગની  સબસિડીની પણ મદદ લીધી, તેની તાલીમ લીધી અને 2000 વર્ગમીટરના 5000 કાકડીના રોપાનો ઉછેર કર્યો. પ્રારંભમાં ભાવ ન મળ્યા પરંતુ મહેનતથી નવી બજાર શોધી અને આજે લાખોની કમાણી થાય છે. સાહસિક યુવાનો માટે પ્રેરણાત્મક વાત છે કે, સરકારે તેમને વિવિધ યોજના હેઠળ 85 ટકા સબસિડી આપી. 45 દિવસમાં ઉત્પાદન ચાલુ થઇ ગયું અને લાખોની કમાણી થઇ છે.

શાળાના ચિત્રકારે નોકરી ગુમાવી;હવે મહિને 80,000ની કમાણી


કિસ્સો છે, મહારાષ્ટ્રના ઔરંગાબાદની એક સ્કૂલના ચિત્ર શિક્ષક મહેશ કાપસેનો. લોકડાઉન દરમ્યાન તેમની અન્ય કર્મચારીઓ સાથે નોકરી છૂટી ગઇ. ખાલી સમયને એમણે તકમાં પલટાવ્યો. પોતાના પાસે ચિત્રની આવડત હતી. ચિત્ર બનાવીને ટિકટોકમાં મૂકવાનું શરૂ કર્યું. બહુ સારો પ્રતિભાવ મળ્યો.

કાપસેના ચિત્રો સોશિયલ મીડિયામાં બહુ ચર્ચાયા. એટલે સુધી કે, અભિનેતા રિતેશ દેશમુખે તેની પ્રશંસા કરી. એ પછી તો બોલીવૂડમાંથી પણ તેમને કામ મળ્યું. એક ચિત્રના તે 2000 રૂા. લે છે અને દસ મિનિટમાં બનાવી નાખે છે. હવે રોજના તેને આવા 3થી 4 ઓર્ડર મળી જાય છે. કાપસેનું હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નામ થઇ ગયું છે. ક્રિકેટ ડેવિડ વોર્નર, કેવિન પીટરસને પણ તેમનો વીડિયો શેર કર્યો છે. મહિનાના તેને 40 જેટલા ઓર્ડર મળે છે. નોકરી કરતો હતો ત્યારે તેને મહિને દસ હજાર રૂા. પગાર મળતો. અત્યારે મહિને 80,000ની કમાણી કરી લે છે.

There is a complicated question of llb admission.