છૂટક-જથ્થાબંધ વેપારને એમએસએમઇનો દરજ્જો ;
નિર્ણય સીમાચિહ્નરૂપ, પણ બેંકો પર મદાર
દેશમાં સૌથી વધુ રોજગારીનું સર્જન કરતા
115 લાખ કરોડના
વાર્ષિક કારોબારવાળાં ક્ષેત્રને મહામારીમાં માર પછી લોનની નવી આશા
* દિવ્યેશ વૈદ્ય
કે ન્દ્ર સરકારે કોરોના મહામારી પછીના મુશ્કેલ
સમયમાંથી પસાર થઈ રહેલા છુટક અને જથ્થાબંધ વ્યાપાર ક્ષેત્રના વેપારીઓને એમએસએમઈ (સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ કક્ષા)
સાહસોના દાયરામાં લાવીને ઐતિહાસિક પગલું લીધું છે, હવે છૂટક અને જથ્થાબંધ વ્યાપારને પણ બેંકો
અને નાણાકીય સંસ્થાઓ પ્રાથમિકતા આપશે. છૂટક વેપારીઓ તરફથી આ જાહેરાતને આવકાર મળી રહ્યો
છે, તો એમએસએમઈ
ક્ષેત્રના સંગઠનો કહે છે કે, કોરોનાકાળમાં મુશ્કેલીથી ઊઠવા માટેનું લોન ગેરંટી યોજનાનું ભંડોળ
નિશ્ચિત છે, જેની નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેરાત કરી છે. બીજી બાજુ બેંકો હંમેશાં નાની
અને સુરક્ષિત લોનને વધુ પ્રાધાન્ય આપે છે, તેથી તેમનો ભાગ પડી જશે અને મોટા ભાગની લોન હવે છૂટક વેપારીઓ
લઈ જશે. હવે જોવાનું એ રહ્યું કે, આ નિર્ણયનો બેંકો કઈ રીતે અમલ કરે છે. કારણ કે નાણામંત્રીની
તાજેતરની જાહેરાત મુજબ સપ્ટેમ્બર અંત સુધીમાં દોઢ લાખ કરોડનું ભંડોળ ગેરંટી મુકત લોન
યોજના માટે ફાળવાયું છે.
શુક્રવારે કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નીતિન
ગડકરીએ જે જાહેરાત કરી તેનો અર્થ એ થયો કે એમએસએમઈ સ્તરના ઉદ્યોગોની જેમ જ લોન માટેની
પ્રાથમિકતાની યાદીમાં છૂટક વેપારીઓ પણ આવી જશે, જેમ 2017 પહેલાં હતું. આ જાહેરાતથી છૂટક
અને જથ્થાબંધ વેપારીઓને ફાયદો એ થયો કે રિઝર્વ બેંકના નિયમો મુજબ બેંકો લોનમાં જે પ્રાથમિકતા
આપે છે, તે શ્રેણીમાં સમાવિષ્ટ થઈ જશે.
બેંકો અત્યારે કૃષિ, એમએસએમઈ તથા અન્ય
કેટલાક ક્ષેત્રોને સસ્તા વ્યાજદર સાથે લોન આપતી હતી અને તેમાં આરબીઆઈની માર્ગદર્શિકા
મુજબ પ્રાથમિકતા હતી. બેંકોએ નિયમ અનુસાર આ માટે ચોક્કસ હિસ્સો આ ક્ષેત્ર માટે રાખવાનો
હતો.
ગત અઠવાડિયે નાણામંત્રી નિર્મલા સીતારામને
ગેરંટી મુક્ત લોન સાથે જોડાયેલી યોજનામાં 1.પ લાખ કરોડ રૂપિયાનું વધારાનું ભંડોળ આપવાની
જાહેરાત કરી હતી, જેમાં 30મી સપ્ટેમ્બર સુધી ઋણ લઈ શકાશે, હવે આ ભંડોળનો લાભ વેપારીઓ પણ નોંધણી કરાવીને લઈ શકશે. માત્ર
તેણે એમએસએમઈનો દરજ્જો મેળવવો પડશે. આ સાથે વ્યાપારીઓ હવે સરકારી પોર્ટલ `જેમ' પર ઉત્પાદનોનું
વેચાણ પણ કરી શકશે.
વેપારીઓને શું-શું ફાયદો ?
નવા નિર્ણયથી દેશના લગભગ 250 કરોડનું ટર્નઓવર સુધીના અઢી કરોડ
નાના-મોટા વેપારીઓને ફાયદો થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. નાના-મધ્યમ સ્તરનાં
ઉદ્યોગો દેશનાં વિકાસનું ચાલકબળ સમજી સરકાર વિકસિત કરવા માગે છે તેમ હવે વેપારીઓના ક્ષેત્રનેય પ્રાથમિકતા મળશે. માત્ર લોન નહીં, સરકારની યોજનાઓમાં પણ પ્રાથમિકતા મળશે. જો કે તેની હજુ વધુ સ્પષ્ટતા બહાર નથી
આવી.
ગુજરાત રાજ્યને સંબંધ છે ત્યાં સુધી લગભગ 8.5 લાખ વેપારીઓ ફાયદો
ઉપાડી શકશે. એમએસએમઇ ક્ષેત્રને મળતા લાભને આધારે જોવામાં આવે તો હવે છૂટક અને જથ્થાબંધ
ક્ષેત્રના વેપારીઓને સસ્તા દરે ધિરાણ મળશે અને આ ધિરાણ પર સબસિડી પણ મળવાપાત્ર બનશે.
સરકારની ટેન્ડર ખરીદીમાં કેટલોક હિસ્સો એમએસએમઇ ક્ષેત્ર માટે અનામત છે. હવે આ હિસ્સામાંથી
વેપારીઓને પણ લાભ મળશે.
સામાન્ય રીતે વેપારીઓને બેંકોમાંથી લોન લેવામાં મુશ્કેલી પડતી
હોય છે, પરંતુ હવે તેઓ કૃષિ ક્ષેત્રની જેમ પ્રાધાન્યતાની શ્રેણીમાં
આવી ગયા, વ્યાજ પણ ઘટશે. વળી, કોઇ વ્યાપારી
સરકારી તંત્રને કંઇ?વેચે અને સમય પર ચૂકવણી ન થાય તો અત્યાર સુધી
સરકાર સામે લડવાનું કોઇ સબળ હથિયાર નહોતું, હવે એમએસએમઇ મુજબ
તંત્રએ સમયમર્યાદામાં ચૂકવણી કરવી પડશે અને મોડું થાય તો વ્યાજ પણ આપવું પડશે.
સમગ્રતયા જોવામાં આવે તો રિટેલ ક્ષેત્ર એ દેશમાં સૌથી વધુ રોજગાર
આજીવિકા સર્જન કરતું ક્ષેત્ર છે. આ ક્ષેત્રને ધિરાણમાં પ્રાથમિકતાથી રોજગારી વધશે.
ઉદ્યોગ સંગઠનોએ પણ પ્રતિભાવમાં સ્વીકાર્યું કે, ખાસ તો કોરોના મહામારીથી
નાણા સંકટમાં ફસાયેલા વેપારીઓને તેમના વ્યાપારની ગાડી પાટે ચડાવવામાં મદદ મળશે.
આજે દેશમાં વ્યાપારિક સમુદાયના લગભગ 40 કરોડ લોકો સીધી કે આડકતરી
રીતે રિટેલ ક્ષેત્રમાંથી રોજગાર મેળવે છે. છૂટક અને જથ્થાબંધ વેપારીઓનો દેશમાં કુલ્લ
અંદાજે 115 લાખ કરોડનો વાર્ષિક કારોબાર છે. હવે આ ક્ષેત્ર બેંકોમાંથી આવશ્યક નાણા મેળવી
શકશે, એવી અપેક્ષા રાખી શકાય. જો કે અમલીકરણ બેંકો પર નિર્ભર
છે.
.......
પહેલાં શું નિયમ હતો ? હવે નવાં પગલાંથી
થઇ શકશે રજિસ્ટ્રેશન
કેન્દ્ર સરકારે એમએસએમઇ ક્ષેત્રના દાયરામાં છૂટક વ્યાપાર ક્ષેત્રને સમાવ્યું તેનાથી 250 કરોડ રૂપિયા સુધીના કારોબારવાળા વિક્રેતાઓને તત્કાલ લાભ મળશે. વેપારીઓને ધંધાના સંચાલન માટે મૂડી મળશે. એટલે કે, કોરોના મહામારી પછી અર્થતંત્રને ઊંચકવા એમએસએમઇ ક્ષેત્ર માટે જે પગલાંઓ જાહેર થયાં તેનો લાભ હવે વેપારીઓ અને જથ્થાબંધ વ્યાપારીઓને પણ મળશે.
પહેલાં, 2006થી છૂટક-જથ્થાબંધ વ્યાપારીઓને એમએસએમઇનું એક રૂપ ગણવામાં આવતું હતું. પણ, 2017માં તેને એમ ગણીને હટાવી નાખવામાં આવ્યું હતું કે, તેઓ (વેપારીઓ) નિર્માણ-ઉત્પાદન ગતિવિધિ સાથે સંકળાયેલા નથી, ન તો સેવા સેક્ટર સાથે જોડાયેલા. આથી તેઓ એમએસએમઇ રજિસ્ટ્રેશન કરી શકતા નહોતા.
હવે સુધારેલી માર્ગદર્શિકા મુજબ, વ્યાપારીઓ `ઉદ્યમ' નામની નોંધણી વેબસાઇટ
પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ રીતે એમએસએમઇ મંત્રાલયના આ પોર્ટલ દ્વારા એમએસએમઇ સાથે
જોડાયેલી યોજનાઓનો લાભ લઇ શકશે.
વેપારીઓની ચાર
વર્ષ જૂની
માગણી સંતોષવામાં
આવી
કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા છેલ્લા ચાર વર્ષથી
છૂટક વેપારીઓ અને જથ્થાબંધ ક્ષેત્રને?ફરી એમએસએમઇના દાયરામાં
લાવવાની માગણી કરવામાં
આવી હતી.
મહામારીમાં ઓનલાઇન વેચાણ વધતાં વેપારીઓને બહુ સહન કરવાનું આવ્યું હતું. 2017 પહેલાં જેમ લઘુ-સૂક્ષ્મ કક્ષાના ઉદ્યોગોને લોન યોજના અને સબસિડીના લાભો મળતા હતા તેવા જ લાભ રિટેલ ક્ષેત્રને મળતા હતા, પરંતુ ત્યારે એક ગેઝેટ સૂચના જાહેર કરીને વેપારી ક્ષેત્રને એમએસએમઇમાંથી બહાર કરાયા હતા. જો કે, ચાર વર્ષે ફરી સરકારે માગણી સ્વીકારી હતી.
..............
No comments:
Post a Comment