Wednesday, 27 April 2022

Why India's friendship matters to Britain ?

ભારત - બ્રિટન : યે દોસ્તી હમ ક્યું નહીં છોડેંગે ?

 બોરિસ જોનસને ભારતની મુલાકાતના અંતે નરેન્દ્ર મોદીને `ખાસ દોસ્ત' કહ્યા : 
અંગ્રેજોએ આપણી ધરતી છોડયાનાં અમૃત પર્વે સ્થિતિ બદલી ચૂકી છે : આજથી એફટીએ સમજૂતીની ત્રીજી બેઠક શરૂ થશે : 

બ્રિટનના વડાપ્રધાને દિવાળી સુધી પૂર્ણ કરવાનો કોલ આપ્યો એ શું છે ?

 

બ્રિટન (અંગ્રેજોના દેશ)ના વડાપ્રધાન બોરિસ જેનસન ભારતની બે દિવસીય મુલાકાતે આવ્યા. નજર ઇતિહાસ પર પણ હતી અને દૃષ્ટિ ભવિષ્યનાં લક્ષ્ય (વ્યાપારિક) પર હતી. પહેલા દિવસે સાબરમતી આશ્રમમાં ઝુક્યા, ચરખો કાંત્યો, મુલાકાત ડાયરીમાં લખ્યું, `એ મહાત્મા ગાંધીજીના આશ્રમમાં આવી સૌભાગ્યશાળી છું, જેમણે સત્ય-અહિંસાથી દુનિયાને બદલવા પ્રેરિત કર્યા.' સમયચક્ર આઝાદીનાં 75મા વર્ષે કેટલું બદલાઇ રહ્યું છે. આ ઊભરતું છે ભારત, માત્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી જ નથી, દુનિયાની મહત્ત્વની આર્થિક શક્તિ છે એ વધુ એકવાર પુરવાર થયું છે.

અમદાવાદ મુલાકાત પછી બીજા દિવસે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સુરક્ષા, સંરક્ષણ, ગ્રીન ટેક્નોલોજી, ક્લાઇમેટ?ચેન્જ વિગેરે મુદ્દે ચર્ચા થઇ અને મહત્ત્વની સમજૂતીઓ થઇ, પણ નિવેદનમાં બોરિસ જોનસને નરેન્દ્ર મોદીને `ખાસ દોસ્ત' કહ્યા.

મહત્ત્વનું એ છે કે, આ ઘટનાક્રમ એવા સમયે બન્યો, જ્યારે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે. સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે અને ભારતનાં વલણ સામે અમેરિકા વાંધો ઉઠાવી ચૂક્યું છે અને અમેરિકાના રશિયા સામેના પ્રતિબંધોમાં બ્રિટન પણ સાથે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યુદ્ધ મુદ્દે કહ્યું કે, તત્કાળ `યુદ્ધવિરામ' થવો જોઇએ અને વાતચીતથી ઉકેલ થાય, પણ સામે બ્રિટનના વડાપ્રધાન તરફથી ભારતનાં વલણ સામે કોઇ નુકતેચીની ન થઇ ! બલ્કે, ભારત સાથેના એફટીએ (ફોરેન?ટ્રેડ એગ્રીમેન્ટ) દિવાળી સુધી સહમતી સાધી લઇ કાર્ય પૂર્ણ કરવાનો કોલ આપ્યો. સામે વડાપ્રધાન મોદીએ બ્રિટન સાથે ઓસ્ટ્રેલિયા અને યુ.એ.ઇ. જેવી એફ.ટી.એ. સમજૂતીની વાત કરી.

ખરેખર બંને વડાપ્રધાનો તેમના વ્યાપારિક સંબંધોને નવી ઊંચાઇએ લઇ જવા માગે છે, જે સતત વધી રહ્યા છે. આ `ખાસ દોસ્તી' કઇ?રીતે છે અને આ એફ.ટી.એ. (વિદેશ વ્યાપાર સંધિ)?શું છે અને તેનાં પરસ્પર હિતોની અહીં છણાવટ મૂકી છે.

આજે 25મી એપ્રિલથી એફ.ટી.એ.ની ત્રીજા તબક્કાની વાટાઘાટ શરૂ?થાય છે, જે બે તબક્કા પૂર્ણ થયા તેમાં 26માંથી 4 મુસદ્દાઓ પર સહમતી સધાઇ ને આખરી સમજૂતીની સોંપણી કરી દેવામાં આવી છે. ત્રીજા તબક્કાની વાટાઘાટની બરાબર પહેલાંનો આ પ્રવાસ બહુ મહત્ત્વ ધરાવે છે, જે ભારત-યુકે વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં બૂસ્ટર ડોઝ બનશે.

ભારત-બ્રિટન વચ્ચેનો વ્યાપાર છેલ્લાં 20 વર્ષમાં ત્રણ ગણો વધ્યો છે. અત્યારે ભારત બ્રિટનનો 15મા ક્રમનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર છે, તો બ્રિટન એ ભારતનો 18મા ક્રમનો સૌથી મોટો વ્યવહાર ધરાવે છે. 2019-20માં આયાત-નિકાસ મળીને બંને દેશ વચ્ચે કુલ 96,000 કરોડનો કારોબાર હતો, જે 2021માં 1.08 લાખ કરોડનો થયો અને અત્યારે 1.30 લાખ કરોડ?પર પહોંચ્યો છે. બંને દેશનું લક્ષ્ય છે કે એફ.ટી.એ.નાં માધ્યમથી આગામી 2030 સુધી આ કારોબાર ત્રણ લાખ?કરોડને પણ પાર થાય.

ભારતનું બ્રિટનમાં મોટું રોકાણ છે. બ્રિટનમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફડીઆઇમાં ભારતનો ક્રમ ત્રીજો છે. આ રોકાણથી બ્રિટનમાં લગભગ 1.16 લાખ નોકરીનું સર્જન થયું છે.

બ્રિટનમાં પણ અનેક વૈશ્વિક દેશોની સાથે મોંઘવારીની વિકરાળ સમસ્યા સર્જાઇ છે અને ભારતમાંથી આવતી ચીજો પર જો એફ.ટી.એ. દ્વારા જકાત રાહત મળે, તો ત્યાં ભાવો પર અંકુશ આવી શકે એમ છે. ભારતથી બ્રિટનમાં રિફાઇન્ડ તેલ, રેડીમેડ કપડાં, ટેક્સટાઇલ્સ ફેબ્રિક, દવાઓ, આરોગ્ય સાધનો, રસી, ફર્નિચર, બેડિંગ, મેટ્રેસ જેવી ચીજો વધુ પ્રમાણમાં નિકાસ થાય છે. યુકે ઇચ્છે છે કે તેમને આવી ચીજો પર કરમુક્તિ મળે.

બીજી બાજુ, બ્રિટનનું પણ ભારતમાં વિશ્વના દેશોમાંથી ચોથા ક્રમનું સૌથી વધુ રોકાણ છે. ભારતનાં કુલ વિદેશી રોકાણમાં બ્રિટનનો હિસ્સો છ ટકા છે. ભારત બ્રિટનથી મોતી, ઘરેણાં, કિંમતી પથ્થરો, ધાતુઓ ખાસ કરીને ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ મશીનરીઓ, પરફ્યુમ અને મોટા જથ્થામાં શરાબ - વ્હિસ્કી-સ્કોચની આયાત કરે છે. ભારત ઇચ્છે કે આપણા કૌશલ્યવાન યુવાનો, ઇજનેરોને ત્યાં કામ કરવાની તક અને સરળતા રહે. ઉપરાંત, ફાર્મા ક્ષેત્રની જે નિકાસ થાય છે તેનાં નિયંત્રણો હળવાં થાય, ભારતના ટેક્સટાઇલ્સ, ફૂટવેર, બાસમતી ચોખા, તેલ ત્યાં સસ્તાં મળે. બધી વાતમાં દિવાળી સુધી ધીરે ધીરે સહમતી સધાઇ શકે છે, માત્ર શરાબમાં મામલો અટકી શકે છે. બ્રિટનથી આવતી શરાબ પર ભારત 15 ટકા ડયુટી લગાડે છે, જે ઘટાડવાના મામલે ભારત સંમત ન થાય.

આમ, બંને દેશના વડાપ્રધાનની આ મુલાકાત એ માત્ર પડાવ હતો. પૂર્ણ સંધિ ત્યારે થશે, જ્યારે એફટીએ પર આખરી મહોર લાગે. જે વાતચીત જાન્યુઆરીથી શરૂ થઇ ચૂકી છે. એફટીએથી પરસ્પર આયાત અને નિકાસ બંને વધશે. અંતે વિકાસ અને રોજગારી વધશે. અમદાવાદમાં પ્રથમ દિવસે બોરિસ જોનસને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે એક કલાક ગાળ્યો, એનાથી આ જૂથનાં બ્રિટનમાં મોટાં રોકાણની પણ શક્યતા છે. યુરોપીય દેશો વચ્ચેના કરારોવાળી બ્રેક્ઝિટ સંધિમાં ન હોવાના સંજોગોમાં બ્રિટન માટે ભારત એક મોટી તક છે. તેની ચીન પરની સામાનની નિર્ભરતા ઘટશે. કોરોનાકાળમાં બંને દેશોએ ઓક્સફર્ડની એસ્ટ્રાજેનેકા અને ભારતની સિરમ ઇન્સ્ટિટયુટનાં માધ્યમથી રસી ઉત્પાદન માટે હાથ મિલાવ્યા એ લાખોના જીવ બચાવવામાં નિમિત્ત રહ્યા. ભારતને પણ ચીન પરની યાંત્રિકી ઉત્પાદકીય સામાનોની નિર્ભરતા ઘટાડવામાં બ્રિટન મદદરૂપ બની શકશે. બીજું, બ્રિટન એ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં કાયમી સભ્ય છે, `દોસ્તી' હશે તો કામ આવશે જ ને !

...........

એફટીએ શું છે ? આપણે કેટલા દેશો સાથે જોડાયા ?

 એફટીએ (ફેરેન ટ્રેડ એગ્રીમેન્ટ)એ એવી વ્યવસ્થા છે કે, જેમાં જોડાયેલા બે દેશ એ વાત પર સંમત થાય કે બંને વચ્ચેના માલ અને સેવા વ્યવહારમાં જકાતના દરોમાં યા તો ઘટાડો થાય અથવા મુક્તિ  કે રદ કરી દેવાય. મોટે ભાગે તે કૃષિ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઉપયોગી છે.

ભારતે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં જ ઓસ્ટ્રેલિયા સાથે એફટીએ સંધિ કરી. ફેબ્રુઆરીમાં યુએઇ સાથે કરી. ઇઝરાયલ સાથેય બ્રિટનની જેમ વાટાઘાટ ચાલે છે. દક્ષિણ એશિયાના સાત દેશ (સાફટા) સાથે આવું જોડાણ છે. અત્યાર સુધીમાં ભારત નાના-મોટા કુલ 54 દેશ સાથે જોડાયેલો છે અને હવે બ્રિટન સાથે સંધિ થશે એ ઘણી મહત્ત્વની  બનવાની છે. 

No comments:

Post a Comment