લાંબો સમય વીસીનું સંભાળનાર ડો. બી. એસ. પટેલ સાથે મુલાકાત..
કચ્છ યુનિવર્સિટીની શરૂઆત થઈ ત્યારથી સંઘર્ષનો અને પ્રશ્નોનો સમયગાળો વારંવાર આવ્યો છે. એમાં સૌને યાદ હશે કે જ્યારે પ્રથમ અને દ્વિતીય કાયમી કુલપતિ નિમાયા પછી ત્રીજા કુલપતિ નિમવામાં કેટલો સમય લાગ્યો હતો ? એ કપરો કાળ હતો રાજકીય ઘર્ષણનો... જેનો ભોગ શિક્ષણ વ્યવસ્થા બનતી હતી. કોર્ટ કેસ થયો કે કરાવવામાં આવ્યો હતો. કુલપતિની નિમણૂકના મુદ્દે શાસક - વિપક્ષ સામસામે હતા. સર્ચ કમિટીએ એકવાર ના મુક્યું,, વાંધો પડ્યો પછી ફરી મિટિંગ બોલાવી બીજીવાર નામ મુક્યું, છતાં પણ સ્વીકારવાની બદલે આખી સર્ચ કમિટી વિખેરી નખાઈ હતી અને મામલો કોર્ટમાં ગયો હતો.
રાજ્ય કક્ષાએ ગરિમાપૂર્ણ પદ પણ કચ્છને કાયમી કુલપતિ પદ મળે એના કરતાં અમારો કુલપતિ મળે અથવા એમનો કુલપતિ ન મળે એવું વલણ હતું....!
એ સમયગાળો યાદ હશે ત્યારે ઇન્ચાર્જ કુલપતિઓ ત્રણ ત્રણ વાર બદલ્યા હતા. આવા સમયગાળામાં કચ્છ યુનિવર્સિટીની નિયમિત રીતે રૂટીન શિક્ષણ વ્યવસ્થા ચલાવાઈ હતી. એટલું જ નહીં, નવી ગ્રાન્ટ પણ મંજૂર કરાવાઈ હતી અને જરૂરી વિકાસ કામો પણ થયા હતા.
આ કપરા કાળમાં સૌથી વધુ સમય સુધી ઇન્ચાર્જ વાઈસ ચાન્સેલરનું પદ સંભાળનાર વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. બી. એસ. પટેલ, સૌને યાદ હશે.
અમદાવાદમાં એમને મળવાનું થયું હતું. આજે તેઓ નિવૃતિ જીવન ગાળી રહ્યા છે, સાથે સાથે અમદાવાદની કેટલીક યુનિવર્સિટીઓમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. એક આચાર્યથી શિક્ષણ જગતની યાત્રા શરૂ કરનારા અને એજ્યુકેશન વિભાગના અધ્યક્ષ અને ડીન, અને છેલ્લે નિવૃત્તિ પહેલાંના વર્ષોમાં વાઈસ ચાન્સેલરનું પદ સંભાળનાર ડો. પટેલના માર્ગદર્શનમાં અનેક વિદ્યાર્થીઓ પીએચ. ડી. અને એમ.એડ. શિક્ષણ લઈ ચૂક્યા હશે. જે આજે સારી જગ્યાએ શિક્ષકો કે પ્રાધ્યાપક હશે.
એમની એક વિશેષતા હતી કે સ્વભાવે એકદમ નમ્ર, શાંત, પ્રમાણિક અને ધીરે બોલવું છતાં પણ જ્યારે અગત્યની મીટીંગ કે ચર્ચા હોય અને નિર્ણય લેવાના હોય ત્યારે મત " ના " માં જરૂરી હોય તો દબાણમાં આવ્યા વિના સ્પષ્ટ રીતે ના કહી દેવી. જે એમના આત્મબળની એક ખૂબી હતી. અનેક નિર્ણયો એ સમયે તેમના મતને કારણે પલટાયા હતા..., એ યાદ હશે.
અમદાવાદમાં થયેલી મુલાકાતમાં તેમની સાથે આજની નવી શિક્ષણનીતિથી શું બદલાવવા આવશે તેની ચર્ચા થઈ. ગુજરાતના ઉચ્ચ શિક્ષણ તંત્રમાં ખાનગી યુનિવર્સિટીઓની ભૂમિકા, આજની એજ્યુકેશન કાઉન્સિલ જેવા મુદ્દે એમના અભિપ્રાયો જાણ્યા.
તેમણે કચ્છ યુનિવર્સિટીના સ્ટાફને અને તેમને એ સમયે સહયોગી બનનારા વિવિધ સરકારી તંત્રના અધિકારીઓને યાદ કર્યા.
આજે તેઓ સ્વસ્થ છે, અને કિશોર વયમાં એક ખેડૂત પુત્ર સાથે શિક્ષણ યાત્રા શરૂ કરી હતી. આજે નિવૃત્તિ જીવન સાથે એ ખેતી પણ સંભાળી રહ્યા છે.
સ્વસ્થ રહો....
મસ્ત રહો..
ડો. પટેલ સાહેબ.
આભાર....
No comments:
Post a Comment