Friday, 8 April 2022

There should be co-ordinated and strong efforts to re-approve the cancel post of education institutions..

`' પત્રકમા` જગ્યા `ગઇ' એટલે `ગઇ' શા માટે ?

શિક્ષણની રદ જગ્યાઓ મ`જૂર કરવા સ`યુક્ત પ્રયાસ થાય

 

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણત`ત્રની ખાલી જગ્યાઓ પાછળ માત્ર સરકાર, શિક્ષણ સ`સ્થા કે લોકપ્રતિનિધિ જ જવાબદાર ન ગણી શકાય: નિયમાનુસાર દર વર્ષે કરવાની થતી દરખાસ્તો, માગણી કે ભરતીપ્રક્રિયામા` પણ  ઉદાસીનતા ન ચાલે; રદ પાછળ નિક્રિયતા પણ કારણ

 

સરકારી ત`ત્રના વિભાગોમા` ભરતી ન થતી હોવાની, અતિ જરૂરી એવી જગ્યાઓ ખાલી રહેતી હોવાની રાડ છે. અવારનવાર અડધાથી ઓછુ` મહેકમ ભરાયલુ` હોવાની ફરિયાદો ઉઠે છે. એમા` વળી સરકાર ભરતી પરીક્ષાઓ તો લે છે ને પેપર ફુટય`yના` કૌભા`ડો બહાર આવે એટલે બધુ` ઠેલાઈ જાય. મોટાભાગના` ખાતા` `ગામી કર્મચારીઓ કે ક્યા`ક તો રેકર્ડ?પર ચડેલા હ`ગામી કર્મચારીઓ જ નહી`, કાયમી કર્મચારી દ્વારા તેનુ` કામ કરવા મૂકેલા માણસોથી જ ગાડુ` ચાલે છે. આ બધામા` બધી જગ્યાએ સરકારનો ગુનો માફ નથી, પર`તુ જવાબદાર અધિકારીઓ, `સ્થાના વડાઓ દ્વારા પણ સરકારને વખતો વખત મહેકમની નિયમાનુસાર પત્રકો ભરીને જાણ કરવામા` ઉદાસીનતા તેમજ તેની પાછળ સતત પ્રયત્નો ન કરવા જેવા` કારણો પણ જવાબદાર છે. 

તાજેતરમા` કચ્છ યુનિવર્સિટી, સરકારી ઈજનેરી કોલેજના` ઓછા` મહેકમ સ`દર્ભે હેવાલ આવ્યા, આનાથી પહેલા` અન્ય સરકારી ગ્રાન્ટેડ શિક્ષણ સ`સ્થાઓમા` પણ જગ્યાઓ ન ભરાતી હોવાના સમાચારો આવતા રહે છે. શિક્ષણ સ`સ્થાઓમા` તો `નેક' પ્રમાણપત્ર, `એનબીએ' પ્રમાણપત્ર, મેડિકલ હોય કે બી.એડ. કોલેજ માટેની કાઉન્સિલની માન્યતાનુ` પ્રમાણપત્ર હોય, વિકાસ અને શિક્ષણ ગ્રાન્ટ માટે આવા` પ્રમાણપત્ર મહત્ત્વના` બન્યા` છે. પ્રમાણપત્ર ત્યારે જ મળે, જ્યારે જગ્યાઓ ભરેલી હોય, પર`તુ થાય છે એવુ` કે, આ જગ્યાઓ ભરવા માટે જવાબદાર સત્તાધીશો ગ`ભીર પ્રયાસ કરતા નથી કે પ્રયાસ કરે છે તો ગા`ધીનગરના અધિકારીઓ ગા`ઠતા નથી. થાય છે એવુ` કે, સરકારી જગ્યાઓ મર્યાદિત છે અને ચોક્કસ મર્યાદામા` `જૂર થાય છે, પર`તુ જે જિલ્લાનો અવાજ ભારે હોય એ મેદાન મારી જાય. અરે, ભુજની સરકારી ઈજનેરી કોલેજનો દાખલો લેવામા` આવે તો કચ્છની મ`જૂર થયેલી પ્રાધ્યાપકોની જગ્યાઓ, વધારાની તો ઠીક છે, હતી એ પણ રાજકોટ જેવા જિલ્લામા` તબદીલ થઈ ગઈ, એની ઉચ્ચ શિક્ષણ ત`ત્રમા` જે રમત થઈ હોય તે.

કચ્છના` ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમા` તજજ્ઞો આધારિત વાત કરતા` કચ્છ યુનિવર્સિટીનો દાખલો લઈએ તો 12 (બી)ની યુજીસીની માન્યતા પછી હવે નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (નેક)નુ` પ્રમાણપત્ર મેળવવુ` એ મોટો પડકાર છે, જેમા` દરેક વિભાગ દીઠ એક પ્રાધ્યાપક, બે એસો. પ્રોફેસર અને 3 આસિ. પ્રોફેસર એમ પા`ચ જગ્યા ભરેલી હોવી જોઈએ. છેલ્લે લગભગ 4 વર્ષ પહેલા` `જૂર જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા થઈ એ થઈ, પછી ક`ઈ ન થયુ`. વચ્ચે ઈન્ચાર્જ કુલપતિઓનો કાર્યકાળ આવ્યો. એ દરમ્યાન જગ્યાઓ ભરાઈ તો ભલે નહીં, `જૂર જગ્યાઓ પણ મહેકમના નિયમાનુસાર દરખાસ્તો ન મુકાતા` ચાલી ગઈ. આ દરમ્યાન, બે-ત્રણ પ્રાધ્યાપકોના` રાજીનામા` પણ પડી ગયા`. `નેક'નો પડકાર વધુ ગ`ભીર બન્યો છે. બીજુ` ભરતી કરવી એ આજના રાજકીય દબાણવાળા, ભલામણિયા સમયમા` જફા છે, એટલે નાની કે મોટી કોઈ પણ શિક્ષણ સ`સ્થા હોય, આ ઉપાધિમા` ન પડવાનુ` પસ`દ કરે છે, અને મોટે ભાગે ગ્રાન્ટેડ હોય કે સરકારી ઈન્ચાર્જથી ગાડુ` ચાલે છે અને અ`તે ભોગવવાનુ` જે-તે જિલ્લાની સ`સ્થાને કે વિદ્યાર્થીઓને આવે છે.

મહેકમ સ`ભાળતા કેટલાક અધિકારીઓ સાથે તાજેતરમા` મળવાનુ` થયુ` અને આ મુદો્ ઉઠયો એટલે તરત જ તેઓએ હસતા` હસતા` કહ્યુ`, `' પત્રકમા` જગ્યા `ગઈ' એટલે સમજો `ગઈ' ! પછી તેને પુન:જીવિત કહો કે `સક્રિય' કહો, ફરી મ`જૂર કરવામા` દિવસે તારા દેખાઈ જાય, સિવાય કે, જે-તે વિસ્તારનો કોઈ લોકનેતા મદદે આવી જાય. નહીં તો ગા`ધીનગરથી સચિવનો પત્ર આવે કે `આ હવે ન મળે, જે થયુ` તે બરાબર.' પછી ક`ઈ આચાર્ય સ્તરે કે વહીવટી અધિકારી સ્તરે નથી થઈ શકતુ`.

જો કે, બધે માત્ર સરકારનો જ વા`ક નથી, દર વર્ષે નિયમાનુસાર મહેકમના` પત્રકો ભરવાના` હોય છે, દરખાસ્તો મૂકવાની હોય છે, આગામી વર્ષના જરૂરી શૈક્ષણિક, લેબોરેટરી વિ. ખર્ચની માહિતી યોગ્ય રીતે મૂકવાની હોય છે, એય ક્યા`ક નથી મુકાતી કે સમય પર નથી મોકલાતી. પછી તો ઉચ્ચ શિક્ષણ ત`ત્ર સીધુ` નિયમ બતાડી દે છે. આખરે સરકાર કર્મચારીઓને પગાર ચૂકવે છે અને માળખા`કીય વિકાસની ગ્રાન્ટ આપે છે.

હકીકતમા` બજેટથી બે-ચાર મહિના પહેલા`, શિક્ષણ સ`સ્થાએ આગામી નાણાકીય વર્ષના પગાર સહિતના ખર્ચનો અ`દાજ આપવાનો  હોય છે, તો એ પ્રમાણે ભ`ડોળ ફાળવાય. જગ્યાને સ``ધ છે ત્યા` સુધી ચાર પત્રકમા` મહેકમ સ્થિતિ આપવાની હોય છે. `' પત્રક એટલે ભરેલી જગ્યા, `' એટલે એક વર્ષ સુધી ખાલી રહેલી જગ્યા, `' એટલે એક વર્ષથી ત્રણ વર્ષ સુધીની ખાલી રહેલી જગ્યા અને `' પત્રક એટલે 3 વર્ષથી ઉપરની ખાલી રહેલી જગ્યા. જે નિયમિત ભરાવા` જોઈએ. આ હ`ગામી જગ્યા માટે હોય છે. ભલે કર્મચારી કાયમી થઈ ગયા હોય, પણ સરકાર તેની જગ્યા હવે હ`ગામી ગણે છે. નિયમિત જગ્યા માટે દર વર્ષે મ`જૂરી લેવાની થતી નથી, પણ ભુજની ઈજનેરી કોલેજનો દાખલો લઈએ તો માત્ર એક પટાવાળાની જગ્યા જ `િનયમિત' છે, તેની દરખાસ્ત દર વર્ષે નથી કરવાની, બાકીની હ`ગામી. ભલે 1-2 લાખ લેતા પ્રાધ્યાપક હોય. 

હવે આ પત્રકોમા` `ગામી જગ્યાનુ` નામ, `ખ્યા, પગાર, ક્યારથી ભરેલી કે ખાલી, ખાલી હોય તો કારણો, ચાલુ રાખવી હોય તો ઠરાવ સાથે અ`દાજિત ખર્ચ?બધી વિગતો આ પત્રકો સાથે મૂકવાની ફરજિયાત છે, પણ ઉચ્ચશિક્ષણ સ`સ્થામા` બધે થતુ` નથી. યા તો આવડતનો અભાવ કે દાનતનો અભાવ જોવા મળે છે. પછી 3 વર્ષ સુધી જગ્યા ન ભરાય એટલે એબિયન્સ એટલે કે `સ્થગિત' જગ્યામા`થી સીધી `' એટલે `ગઈ'નો સમય આવી જાય છે. આમ, માત્ર સરકાર કે માત્ર લોકનેતાઓ કે માત્ર અધિકારીઓ જવાબદાર નથી. કચ્છમા` `યુક્ત પ્રયાસો ઓછા પડે છે. સ`કલન ઓછુ` છે જે દૂર થાય તેવુ` ઈચ્છીએ. તો જ બજેટ જાહેર થાય ત્યારે કચ્છનુ` નામ વધુ દેખાશે.  

 

No comments:

Post a Comment