નવા શૈક્ષણિક સત્રથી કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે ગાબડું
તાજેતરમાં એક વધુ બદલી કેમ્પમાં 121 વધુ શિક્ષક માધ્યમિક,
ઉચ્ચ માધ્ય.માંથી ગયા, તો પાંચ આસિ. એજ્યુકેશન ઇન્સ. પણ વતન ગયા, 14 આવ્યા
ભુજ, તા.
15 : કચ્છમાં ભરતી થયેલા પ્રાથમિક હોય, માધ્યમિક હોય કે ઉચ્ચ માધ્યમિક, અહીં
નિમણૂક પામીને ઘર-વતનવાપસી કરી લેતા હોવાની અને કચ્છના શિક્ષણ ક્ષેત્રમાં જગ્યાઓ ખાલી
જ રહી જતી હોવાની ફરિયાદ જૂની છે છતાં યથાવત્ છે, અને તાજેતરમાં સંપન્ન બદલી કેમ્પ બાદ જાહેર થયેલા હુકમોમાં વધુ 121 માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શિક્ષકો અને પાંચ આસિસ્ટન્ટ એજ્યુકેશન
ઈન્સ્પેક્ટર સહિત કુલ 126 જણે વતનની વાટ પકડી હોવાનું બહાર આવ્યું છે.
કચ્છની માધ્યમિક શાળામાંથી અલગ-અલગ વિષયની કુલ 87 શિક્ષકની
જગ્યા ખાલી થઈ છે અને ઉચ્ચ માધ્યમિકમાં કુલ 34 શિક્ષકો તેમના વતનમાં બદલ્યા છે. આ સિવાય
કેળવણી નિરીક્ષકોના સ્તરે પણ પાંચ જગ્યા ખાલી થઈ છે. જો કે, રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી કચ્છમાં આવનારા શિક્ષકોનો આંક માત્ર 14 જ છે, આમ, નવું
શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યાં ફરી ગાબડું સર્જાયું છે અને અંતે ભોગવવાનું વિદ્યાર્થીઓને-કચ્છના
શિક્ષણ જગતને આવશે.
સત્તાવાર મળતી માહિતી મુજબ, રાજ્યની સરકારી માધ્યમિક અને શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો - સહાયકોમાં સાણંદ ખાતે
આયોજિત ફેરબદલી કેમ્પ બાદ ફેરબદલીના તાજેતરમાં
આદેશ કરવામાં આવ્યા છે. મદદનીશ શિક્ષણ નિયામકના આ 317 બદલીના આદેશમાં 87 શિક્ષકે કચ્છ
છોડી ઘરવાપસી કરી છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક સ્તરે 203 બદલીના આદેશમાં કચ્છમાંથી
34 મદદનીશ શિક્ષક કચ્છમાંથી બહાર મુકાયા છે.
સત્તાવાર સૂત્રોમાં જણાવ્યા મુજબ, આ આદેશવાળા શિક્ષકો જો શાળામાં 50 ટકાથી ઓછું મહેકમ નહીં
થતું હોય તો એક-બે દિ'માં સામી બાજુ, અલગ જિલ્લામાંથી મનોવિજ્ઞાનના 6, ઈતિહાસના 2, નામાના મૂળ તત્ત્વોના 2, ગુજરાતના
1, અંગ્રેજીના 2 અને સમાજશાત્રના
1 મળીને કુલ 14 શિક્ષકો જ કચ્છમાં આવ્યા છે, એથી 107 જગ્યાઓ ખાલી જ રહેશે.
ઉદાહરણો ટાંકતાં શિક્ષણ જગતના સૂત્રોએ ઉમેર્યું કે, પલાંસવા હાઈસ્કૂલમાં પાંચમાંથી સીધા ચાર શિક્ષકો બદલી
ગયા છે, હાઈસ્કૂલની સ્થિતિ ખાલી જેવી થઈ
જશે, પણ નિમણૂકના એક વર્ષમાં મહિલા
અને બે વર્ષમાં પુરુષ શિક્ષક બદલીને પાત્ર ઠરે છે અને આવા બદલી કેમ્પમાં કચ્છને જ ભોગવવાનું
આવે છે. કચ્છની સ્થિતિ બીજા કરતાં અલગ છે, અહીં ખાસ કિસ્સામાં વધ-ઘટ બદલી કેમ્પ કે જિલ્લાનો આંતરિક કેમ્પ યોજવો જોઈએ. આવી
રજૂઆતો કચ્છના લોકપ્રતિનિધિઓ સમક્ષ કચ્છમાં આવી હતી, જે બહેરા કાને અથડાઈ છે. આ રાજ્યકક્ષાના બદલી કેમ્પથી કેટલાક તો 1 વર્ષમાં જ વતન
પહોંચી ગયા છે, જ્યારે સ્થાનિક કચ્છના શિક્ષકો
11 વર્ષથી પોતાના તાલુકામાં પણ બદલી કરાવી શકતા નથી. મુંદરાનાં નવીનાળના એક શિક્ષક
છે જે બાયપાસ કરાયેલા હોવા છતાં, 11
વર્ષથી બદલી નથી મેળવી શક્યા તેવો સૂત્રોએ આક્રોશ વ્યક્ત કરીને સરકાર પાસે નીતિ બદલવા
માંગ કરી હતી.
નોંધનીય છે કે, હજુ એક વર્ષ પહેલાં જ 2021માં કચ્છમાં મા., ઉ.મા. શાળામાં 300 જેટલા શિક્ષકોને નિમણૂકના આદેશ અપાયા હતા. જે પૈકી 121 શિક્ષકોએ
વતનની વાટ પકડતાં ફરી મોટું ગાબડું પડયું છે. જિલ્લા કલેક્ટરે પણ અગાઉ શિક્ષકોની ઘટ
સંદર્ભે ઉચ્ચ શિક્ષણ કમિશનરનું ધ્યાન દોર્યું છે. ખરેખર, રાજકીય પ્રતિનિધિઓ ઉદાસીનતા છોડશે તો જ આ પ્રશ્ન ઉકેલાશે, એમ આ સૂત્રોએ લાગણી દર્શાવી છે.
No comments:
Post a Comment